મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આજે દ્વારકા મંદિરે ધ્વજારોહણ કર્યું. સાથેજ તેમણે ગુજરાત કોરોનામુક્ત થાય તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ દ્વારકા મંદિરે કર્યું ધ્વજારોહણ
પત્ની અંજલીબેન સાથે કર્યું ધ્વજારોહણ
ગુજરાત કોરોના મુક્ત થાય તેવી દ્વારકાધીશને કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભગવાન દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું. તે સમયે તેમના પત્ની અંજલી બેન પણ સાથે હતા, અને બંનેએ ભેગા થઈને દ્વારકાધીશને આજે ધ્વજા ચડાવી હતી.
ગુજરાત કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના
મુખ્યમંત્રીએ આજે દ્વારકાધીશની પૂજા અર્ચના કરીને ભક્તિભાવ સાથે ધ્વજારોહણ કર્યું હતું. સાથેજ તેમણે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે કોરોનામાંથી ગુજરાતને જલ્દી મુક્તિ મળે. છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે. જેથી આજે મુખ્યમંત્રી દ્વારા કોરોનાથી મુક્તિ મેળવવામાટે દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી છે.
ગઈકાલે શીવરાજ બીચની લીધી હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રીએ દ્વારકાના શીવરાજ બીચની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથેજ તેને દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી મુદ્દે જિલ્લા વહીવટી તંજ્ઞના અદિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જે બેઠકમાં તેમણે ખાસ સૂચનાઓ આપી હતી.