હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા મંત્રના ઉચ્ચારણ વગર અધૂરી માનવામાં આવે છે. એટલા માટે પૂજામાં મંત્રનો જાપ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ખાસ કરીને શિવ પૂજાની વાત હોય તો વ્યક્તિ ભોળાનાથની પૂજા ના કરે અને ખાલી શિવ મંત્રનો જાપ કરવાથી પણ તમામ મનોકામના પૂરી થાય છે.
આ ઉપરાંત વ્યક્તિ જો સોમવારે વ્રત કરે તો મંત્રોની સાથે પૂજા કરવાથી પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. નામાવલી મંત્ર શિવજીને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારે પૂજા દરમિયાન આ નામાવલી મંત્રનું ઉચ્ચારણ કરવું તથા તે ઉપરાંત દિવસમાં કોઈ પણ સમયે 108 વખત આ જાપ અવશ્ય કરવો.
।। श्री शिवाय नम: ।।
।। श्री शंकराय नम: ।।
।। श्री महेशवराय नम: ।।
।। श्री सांबसदाशिवाय नम: ।।
।। श्री रुद्राय नम: ।।
।। ॐ पार्वतीपतये नमः ।।
।। ॐ नमो नीलकण्ठाय ।।
તેમજ આખા મહિના દરમિયાન નિયમિત રીતે સવારે અને સાંજે 108 વખત મંત્રનો જાપ કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજા કર્યા પછી ભગવાન શિવની આ નામાવલી મંત્રોની સાથે તેમનુ ધ્યાન કરીને શિવજીને પ્રસન્ન કરી શકો છો.