દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને ઉપરાછાપરી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં અરવિંદ કેજરીવાલનું સ્થાન મેળવવું, પછી દિલ્હી સરકારના આરોગ્ય વિભાગના સર્વેમાં 72 ટકાથી જેટલા લોકોએ ખાનગીની જગ્યાએ સરકારી હોસ્પિટલ તરફ વળવું અને હવે વધુ એકે કામગીરી માટે આપ સરકારની નીતિ આયોગ દ્વારા પ્રશંસા થવી તે કેજરીવાલ સરકારના અચ્છે દિન આવ્યા હોય તેવું દર્શાવી રહ્યું છે.
નીતિ આયોગે આજે દિલ્હી સરકારના સરકારી શાળાઓ ક્ષેત્રે કરેલા કામને વખાણ્યું હતું, અને કહ્યું હતું કે દિલ્હી સરકારની મદદ મેળવતી શાળાઓએ દેશની રાજધાનીને રાષ્ટ્રીય ઉપલબ્ધિ સર્વેક્ષણમાં સર્વાધિક અંકને પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.
દિલ્હીએ સૌથી વધુ 44.73 નો NAS સ્કોર નોંધાવ્યો છે
ભારતીય ઇનોવેશન ઇંડેક્સ 2020માં બધા રાજ્યોએ સરેરાશ 35.66નું રેટિંગ મેળવ્યું છે, જેના પ્રમાણે દિલ્હીની વધારે આવક અને સરકારી શાળાઓમાં કરવામાં આવેલા કામને લીધે દિલ્હીએ સૌથી વધુ 44.73 નો NAS સ્કોર નોંધાવ્યો હતો.
આ ઇંડેક્સ પ્રમાણે દેશભરમાં એન્જિનીયરિંગ અને ટેકનિકલ સિલેબસ ધરાવતી સંસ્થાઓમાં લોકોના એડમિશન ઓછા થઈ રહ્યા છે અને અ આંકડો દેશના દક્ષિણના રાજ્યોમાં વધુ હતોન જ્યારે કે પૂર્વોત્તરના રાજ્યોમાં તેનો ભાગ ઓછો રહ્યો હતો.
યુપી અને ઉત્તરાખંડમાં ભાજપ માટે મુશ્કેલી
મહત્વનું છે કે આગામી યુપી અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં ઉતરવાની ઘોષણા કરી ચૂકેલી આમ આદમી પાર્ટી માટે આ બધી ઉપલબ્ધીઓ માર્કેટિંગનું સબળ હથિયાર બની જશે અને આ બંને રાજ્યોમાં હાલમાં ભાજપની જ સરકાર છે અને શિક્ષા અને આરોગ્યના મુદાઓ પર નબળી કામગીરીને લઈને આમ આદમી પાર્ટી પહેલાથી જ બંને રાજ્યોની ભાજપ સરકાર પર નિશાનો સાધી ચૂકી છે.