કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય કરવા માટે કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી
કોરોના મૃતકોના સ્વજનોને મળશે આર્થિક મદદ
મૃતકોના પરિવારને મળશે રૂ.50 હજારની સહાય
દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે જે લોકો કોરોનામાં મૃત્યું પામ્યા છે તેમના પરિવારજનો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનામાં કેટલાક પરિવારોના સ્વજનો અને ઘરાના મોભી ગુમાવ્યા છે બાળકોએ માતા પિતા ગુમાવ્યા છે, પરિવારોએ ઘરનું ગુજરાન ચલાવનાર સ્વજનો ગુમાવ્યા છે ત્યારે કોરોનામાં મૃત્યું પામેલા મૃતકોના સ્વજનો માટે થોડી રાહત મળે તે માટે કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, કોરોના મૃતકોના પરિવારજનોને સહાય મળે તેવી માંગ ઉઠી રહી હતી જે બાદ હવે કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારના નિર્દેશોને સુપ્રીમકોર્ટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારના નિર્દેશોને સુપ્રીમકોર્ટે મંજૂરી આપતા હવે મૃતકોના પરિવારજનોને 50 હજાર રુપિયાની આર્થિક સહાયનો કેન્દ્રના નિર્દેશને મંજૂરી આપી છે, અહીં એ પણ મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા જણાવ્યું છે કે આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાથી અગલ હશે જે રાજ્યના આપદા પ્રબંધન ફંડમાંથી આપવામાં આવશે એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજના દાવો કરે એના 30 દિવસની અંદર આ સહાય મળી જશે.
કેન્દ્ર સરકારે 50 હજાર આર્થિક મદદની કરી છે જાહેરાત
આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં કેટલાક લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા જ્યારે કેટલાકના ઘરોમાં જ મોત નિપજ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ એ પણ કર્યો છે કે ઘરે કે હોસ્પિટલમાં જે પણ કોલોના કોવિડના કારણે મૃત્યું પામ્યા હશે તે તમામને આ વળતર આપવું, સુપ્રમી કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરી શકે છે તેમજ સમિતીને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવશે.
કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ મળશે
મહત્વનું છે કે કોરોના કાળમાં આરોગ્યની અપૂર્તી સુવિધાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, દેશ અને રાજ્યોમાં સ્થિતિ એટલી વણસી હતી કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી હતી, તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિઝન અને દવાઓના અભાવના કારણે પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરિસ્થિતિ એટલી હદી વણસી હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ નહોતા થઈ શકતા, અને દર્દીને હોસ્પિટલોમાં લઈ જવા 108માં પણ કલાકો અને દિવસો સુધી વેટિંગ બોલાતું ત્યારે કોરોનામાં મુત્યું પામેલા મૃતકોને થોડા ઘણા અંશે આર્થિક સહાય મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે