યુનિયન એક્સપેન્ડીચર સેક્રેટરી ટી સોમનાથને કહ્યું હતું કે સરકારે લોકોને જે રકમ DBT હેઠળ સીધા તેમના ખાતામાં મોકલી આપી હતી તે રકમના 40 ટકા જેટલી રકમને ખર્ચ કરવાની જગ્યાએ લોકો દ્વારા બચાવવામાં આવી છે. તેમણે આ રકમનો વપરાશ કર્યો નથી.
સરકાર જાહેર કરી શકે છે બીજું આર્થિક પેકેજ
કેન્દ્રીય સચિવ ટી સોમનાથને આપ્યા સંકેત
લોકો ખર્ચની જગ્યાએ બચતને આપી રહ્યા છે પ્રોત્સાહન: સોમનાથન
એકવાર કોવિડ -19 ચેપ ઓછો થઈ જાય અને લોકોને ડર લાગે કે તે ઓછું થઈ જાય પછી સરકાર બીજા નાણાકીય સહાયતા પેકેજ જાહેર કરી શકે છે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ વાત કહી.
સરકારી સહાયતાના 40 ટકા રકમની લોકોએ બચત કરી
કેન્દ્રીય વ્યય સચિવ ટી.વી. સોમનાથને કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે લગભગ 40 ટકા રકમ જે સરકાર દ્વારા બેંક ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોકલવામાં આવી છે તે લોકોએ ખર્ચી નથી. તેમણે તેની બચત કરી છે. જેનાથી સમજી શકાય છે કે સરકાર દ્વારા લેવાયેલ પ્રોત્સાહક નિર્ણયોની પણ એક સીમા હોય છે, ઘણી વાર તેમાં સમયનો સાથ પણ જરૂરી હોય છે.
ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ ઈન્ડિયાના એક કાર્યક્રમમાં સોમનાથને કહ્યું કે હાલમાં સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ 'બંધ' થઈ ગઈ છે. સરકારે જે કઈ કર્યું છે કે નથી કર્યું તેની સાથે તેને કોઈ લેવા-દેવા નથી, પરંતુ લોકોની અંદર જે કોરોના વાયરસનો ડર છે તેનાથી સંજોગો પ્રભાવિત થાય છે.
દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં છે આરોગ્ય ક્ષેત્રે નાજુક સ્થિતિ
ટી. સોમનાથને કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં આરોગ્ય ક્ષેત્રની સ્થિતિ 'ખૂબ જ નાજુક' બની ગઈ છે. નાણાકીય અને વીમા ક્ષેત્ર સિવાય, થિયેટરો, મોલ્સ અને રેસ્ટરન્ટ જેવી ખાનગી સેવાઓ પણ ખરાબ અસર પામી છે.
તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ તે ક્ષેત્રો છે જ્યાં સરકારના નાણાકીય પ્રોત્સાહનો લોકોને આ ક્ષેત્રમાં ફરીથી પ્રવેશ માટે દબાણ કરી શકે છે. લોકોમાંથી કોવિડ -19 નો માનસિક ડર સમાપ્ત થયા પછી જ અર્થવ્યવસ્થામાં સુધારો શક્ય બનશે.
સોમનાથને કહ્યું કે જ્યારે લોકોમાં આરોગ્યની ચિંતા ઓછી હોય ત્યારે સરકાર નાણાકીય પ્રોત્સાહન આપીને અર્થવ્યવસ્થામાં મદદ કરી શકે છે. નોંધનીય છે કે સરકારે માર્ચના અંતમાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. દેશની કુલ જીડીપીના બે ટકા જેટલી રકમને વધારેના ખર્ચ સાથે સાંકળીને પગલાં પણ લેવાયા.
એક્સપર્ટસનો મત, સરકારને વધારવો પડશે ખર્ચ
આશ્ચર્યજનક રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ તેના દરોમાં બે વાર ઘટાડો કર્યો હતો અને આ મહિનામાં પણ આ દરોને યથાવત રાખીને નરમ મૌદ્રિક નીતિના સંકેત આપ્યા હતા. આના કારણે એક્સપર્ટસનો એક વર્ગ એવું કહી રહ્યો છે કે સરકારે હવે અર્થવ્યવસ્થાને યથાવત કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. સરકારી યોજનાઓમાં વધુ ખર્ચ અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવામાં મદદ કરશે.