બૂસ્ટર ડોઝને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ જે વેક્સિનના બે ડોઝ લીધા હતા ત્રીજો ડોઝ પણ તેજ કંપનીનો આપવામાં આવશે.
બૂસ્ટર ડોઝને લઈને કેન્દ્ર આપ્યું મોટુ નિવેદન
જે વેક્સિન અગાઉ લીધી હશે તેજ વેક્સિન અપાશે
10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા સરકારે એવું કહ્યું છે કે બૂસ્ટર ડોઝ માટે એકજ વેક્સિન આપવામાં આવશે. જેમા અગાઉ જે વેક્સિનના ડોઝ લિધા હશે તેજ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. એટલે કે જો અગાઉ તને કોવિશિલ્ડના બે ડોઝ લીધા હશે તો બૂસ્ટર ડોઝ પણ કોવિશિલ્ડનોજ આપવામાં આવશે.
60થી વધુની ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ અપાશે
નિતિ આયોગના સદસ્ય વીકે પોલ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. ગત 25 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા બૂસ્ટર ડોઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમા હવે 10 જામ્યુઆરીથી અત્યંત બિમાર અને 60 કરતા વધુની ઉંમરના લોકોને ડૉક્ટરોની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
ઓમિક્રોનના 2 હજાર કરતા વધારે કેસ
ભારતમાં હાલ જે રીતે ઓમિક્રોનના કેસ વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથેજ હવે 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ભારતમાં ઓમિક્રોનના 2 હજાર કરતા પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે તે પૈકી 800 જેટલા તો સંક્રમણ મુકત પણ થઈ ગયા છે. તે ઘણી સારી બાબત કહી શકાય.
દિલ્હીમાં કોરોનાને કારણે સૌથી ખરાબ સ્થિતી
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેમા પણ ખાસ કરીને દિલ્હીમાં ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર્ જૈન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે દિલ્હીમાં હાલ કોરોનાની ત્રીજી નહી પરંતું પાંચમી લહેર શરૂ થઈ છે. સાથેજ તેમણે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ 40 ટકા બેડ અત્યારથી રિઝર્વ કરી લીધા છે.