કેન્દ્ર સરકારે કોરોનાના ઇલાજ માટે નવી ક્લિનિકલ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સ્ટીરોઇડ દવાનો ઉપયોગ ન કરવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારની નવી કોવિડ ગાઇડલાઇન્સ
ઉધરસ ન મટે તો ટીબીનો ટેસ્ટ કરાવો
સ્ટીરોઇડ દવાનો ઉપયોગ ટાળો
કોરોનાને લીધે માહોલ એવો થઇ ગયો છે કે જો તમે છીંક ખાઓ કે ઉધરસ ખાઓ તો એમ થાય કે આ કોરોના તો નહી હોય ને. સિઝન ચેન્જ થતા મોટાભાગના લોકો શરદી ખાંસીનો ભોગ બન્યા છે પરંતુ જો તમને ખાસી એક બે અઠવાડિયા સુધી મટે નહી તો તમારે કોરોના નહી પરંતુ ટીબીનો ટેસ્ટ કરાવવો જોઇએ. જી હા આ વાત કહી છે કેન્દ્ર સરકારે. કેન્દ્રસરકારે કોવિડ 19ના ઇલાજ માટે ક્લિનિકલ ગાઇડલાઇનમાં સંશોધન કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો માટે વિવિધ દવાઓના ડોઝની ભલામણ કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યુ છે કે જો કોઈની ખાંસી બે-ત્રણ અઠવાડિયા સુધી મટે નહી તો તો તેણે ટીબી અથવા અન્ય કોઈ રોગ માટે પરીક્ષણ કરાવવું જોઈએ.
સ્ટીરોઇડ ન લો
કેન્દ્ર સરકારે કોરોનાને લઇને નવી ગાઇડલાઇન અમલમાં મૂકી છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે કોરોનાના દર્દીના ઉપચાર માટે સ્ટીરોઇડ દવાનો બેફામ ઉપયોગ કરવાનું ટાળો. મહત્વનુ છે કે થોડા દિવસ પહેલા જ ટાસ્ક ફોર્સના વડા વીકે પોલે કોરોનાની બીજી લહેરમાં સ્ટીરોઈડ દવાઓના વધુ પડતા ઉપયોગ પર ખેદ વ્યક્ત કર્યો હતો. કોવિડ-19ની આ ક્લિનિકલ ગાઇડલાઇન ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)-કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (DGHS)દ્વારા સંશોધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
વધુ સ્ટીરોઇડ લેવાથી થશે ફંગસ
માર્ગદર્શિકામાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે જો કે જો સ્ટીરોઇડ ધરાવતી દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો મ્યુકરમાઇકોસિસ બીમારી અથવા બ્લેક ફંગસ થઇ જવાનુ જોખમ વધારે રહે છે. આથી સામાન્ય લક્ષણ હોય તો સ્ટીરોઇડ લેવાનું ટાળો.
કયા લક્ષણો ગંભીર લક્ષણો ગણાય
જો કોવિડના લક્ષણો ઉપલા શ્વસન માર્ગમાં ઉદ્દભવે છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ કે હાયપોક્સિયા જેવી સમસ્યા નથી, તો તેને હળવા લક્ષણોમાં ગણાશે.
આવા દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર લેવાની સલાહ
પાંચ દિવસથી વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા ઉંચો તાવ હોય અથવા તીવ્ર ઉધરસ હોય તો તેમને ડૉક્ટર પાસે જવાની સલાહ
શ્વાસ લેવામાં તકલીફ પડે, તાવ ન ઉતરે, ખાંસી ન મટે તો ડોક્ટરનો સંપર્ક કરવો
ઑક્સિજન લેવલ 90થી93 ટકા વચ્ચે વધઘટ થતુ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા
જો કોઇ વ્યક્તિનો શ્વસનદર 30 પ્રતિ મિનિટથી વધારે હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે તો તે ગંભીર લક્ષણ ધરાવતો દર્દી ગણાશે.
ઓરડાના તાપમાને ઓક્સિજન સેચ્યુરેશન જો 90 ટકાથી નીચે હોય તો તેને ગંભીર દર્દી ગણવામાં આવશે
આવા સમયે દર્દીને આઇસીયુમાં દાખલ કરવા જોઇએ.
હળવા અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં રેમડેસિવરને કટોકટી અથવા 'ઓફ લેબલ' ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
રેમડેસિવરનો ઉપયોગ એવા દર્દીઓ પર જ થઈ શકે છે જેમને કોઇ પણ લક્ષણો હોવાના 10 દિવસની અંદર 'રેનલ' અથવા 'હિપેટિક ડિસફંક્શન'ની ફરિયાદ કરી ન હોય