નદી સંરક્ષણ યોજના હેઠળ પૂરતા નાણા ન ફાળવી કેન્દ્ર સરકારે ગુજરાત સાથે જ કર્યો અન્યાય, આ કામ માટે રૂ.1779 કરોડ ફાળવ્યા, પણ આપ્યા માત્ર 520 રૂપિયા
કેન્દ્રએ ગુજરાતને ફાળવ્યા ઓછા નાણા
કેન્દ્રએ રાજ્યને 520 કરોડ આપ્યા
નદી સંરક્ષણ યોજના હેઠળ પૂરતા નાણા ન ફાળવ્યા
કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે, ભૂતકાળમાં એવા અનેક આક્ષેપો કેન્દ્ર સરકાર પર લાગતા રહ્યા છે, યુપીએ શાસનમાં ગુજરાતના તત્કાલિક સીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને અન્યા થતો હોવાના આક્ષેપ કરતા હતા પરતું હવે ખુદ મોદી સરકાર છે કેન્દ્રમાં છે ત્યારે ગુજરાતને ફરી અન્યા કરાતો હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્રએ ગુજરાતને ફાળવ્યા ઓછા નાણા
નદી સંરક્ષણ યોજના હેઠળ આ વખતે કેન્દ્રએ ગુજરાતને રૂ.1779 કરોડ ફાળવ્યા હતા પરતું તેમાથી માત્ર 520 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમ ગુજરાતને કેન્દ્ર દ્વારા ફરી અન્યાય કરાયો છે. મહત્વનું છે કે નદીઓમાં પાણી સ્વચ્છ રહે તે માટે આ રકમની ફાળવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત સરકાર કરોડોનો ધૂમાડો કર્યો બાદ પણ નદીઓમાં પ્રદુષણનું સ્તર સુધારી શકી નથી, નદીઓમાં પ્રદુષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રએ ગુજરાતને 520 કરોડ આપ્યા
લોકડાઉન સમયમાં CPCBએ દેશની 19 નદીઓના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નદીઓમાં પ્રદુષણ ઓછુ ન થયું હોવાનું સામે આવતા ગુજરાતને આટલા કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે. નદીઓમાં સ્વચ્છ પાણી રહે તે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય છે ત્યારે કેન્દ્ર સરકારે ઓછા નાણાં ફાળવતા ગુજરાતને ફરી અન્યાય કર્યો છે. કેન્દ્રએ ગુજરાતને રૂપિયા 1,779 કરોડના બદલે 520 કરોડ ફાળવતા હવે કેન્દ્રએ ફરી ગુજરાતને અન્યા કરાયો છે.