સરકારે 2016 પછી પણ એક નોટબંધી કરી હતી અને આ નોટબંધી ક્યારે અને કેવી રીતે થઈ અને એ વિશે કોઈને ખબર કેવી રીતે ન પડી એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આજે નોટબંધીને છ વર્ષ પૂરા થઈ ગયા
નોટબંધી ન થઈ હોત તો અર્થવ્યવસ્થા ફ્રીઝ થઈ ગઈ હોત
સરકારે એ પછી પણ એક નોટબંધી કરી હતી
8 નવેમ્બર 2016 આ દિવસ શાયદ કોઈ નહીં ભૂલી શકે કારણ કે આ દિવસના રોજ દેશમાં પહેલી વખત નોટબંધી કરવામાં આવી હતી. એ સમય દરમિયાન એક બાજુ દેશના લોકોમાં ખુશીની લહેર હતી તો બીજી બાજુ ભ્રષ્ટાચારીઓ અને બ્લેક મનીના કુબેરના ઘરમાં માતમ છવાઈ ગયો હતો. આજે એ નોટબંધીને છ વર્ષ પુર્ણ થઈ ગયા છે. નોટબંધી દરમિયાન દેશની ભલાઈ માટે સામાન્ય લોકોએ ઘણું નુકશાન સહન કર્યું હતું અને હજુ પણ ઘણા લોકો નોટબંધી વિશે યાદ કરીને વિચલિત થઈ જાય છે. જો કે દેશમાં બીજી વખત નોટબંધી માટે પૂછવામાં આવે તો લગભગ લોકો આ નોટબંધીની તરફેણમાં નહીં હોય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ફરી એકવાર "નોટબંધી" કરી દીધી છે છે. જો કે એ વાત અલગ છે કે આ નોટબંધી વિશે અત્યાર સુધી કોઈ જાણી શક્યા નથી અને ન તો પીએમ મોદીએ સામાન્ય જનતા પર આ વખતે કોઈ મુશ્કેલી આવવા દીધી છે. આ નોટબંધી ક્યારે અને કેવી રીતે થઈ અને એ વિશે કોઈને ખબર કેવી રીતે ન પડી એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
8 નવેમ્બર, 2016 ના રોજ 8 વાગ્યા પીએમ મોદીએ દેશમાં પ્રથમ વખત 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી અને આ જાહેરાતને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે ભારતમાં અચાનક કરવામાં આવેલી આ નોટબંધીની જાહેરાતથી વિશ્વમાં પણ હલચલ મચી ગઈ હતી કારણ કે તેની અસર સમગ્ર વિશ્વ પર પડવાની હતી. જો કે આ પછી ઘણા લોકોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે નોટબંધી પહેલા કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું પણ નિષ્ણાતોના મતે આ નોટબંધી અચાનક નહતી થઈ. 2016ની એ નોટબબંધી માટે પીએમ મોદીએ લાંબા સમયથી ગુપ્ત રીતે આયોજન કરતાં હતા.
નોટબંધી ન થઈ હોત તો અર્થવ્યવસ્થા ફ્રીઝ થઈ ગઈ હોત
દેશના સૌથી મોટા અર્થશાસ્ત્રી મુજબ, 'જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી એ સમયે કુલ કરન્સી 86 ટકા સુધી હતી અને તેમની ટકાવારી દેશના કુલ ચલણમાં સતત વધી રહી હતી. જો 2016માં એ નોટબંધી ન થઈ હોત તો આવનાર બે-ચાર વર્ષમાં 500 અને 1000 રૂપિયાની મોટી નોટો 90થી 95 ટકા થઈ ગઈ હોત અને એ પછી દેશની અર્થવ્યવસ્થા ફ્રીઝ થઈ ગઈ હોત કારણ કે ચલણને છૂટક વેચવા માટે નાની નોટો ન બચી હોત. જો કે એ નોટ બંધ કરીને સરકારે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી અને એમ કરવાથી ભ્રષ્ટાચાર વધશે એવા પણ અનેક સવાલો પણ ઉઠ્યા હતા પણ તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાની નોટો જારી કરવા પાછળ હેતુઓ રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત હતા. 2000 ની નોટને 500 અને 1000 રૂપિયાની નોટોના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી અને જો એમ ન કર્યું હોત તો અર્થવ્યવસ્થા ચાલી ન શકત અને આ સાથે જ તે નોટોને પણ પાછી ખેંચવાનો પ્લાન બનાવી લેવામાં આવ્યો હતો.
2000 રૂપિયાની નોટ પણ પાછી ખેંચી લીધી
જો કે એ અર્થશાસ્ત્રીનો દાવો છે કે 'મોદી સરકારે અઢી વર્ષ પહેલા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી હતી અને તેને એક પ્રકારનું નોટબંધી ગણી શકાય. જ્યારે સરકારે નોટ પાછી ખેંચવાનું કામ શરૂ કર્યું હતું તે સમયે ડિજિટલ પેમેન્ટ પ્રચલિત નહોતું અને જેમ જેમ ડિજીટલ પેમેન્ટ વધતું ગયું તેમ એ નોટ વધુને વધુ પાછી ખેંચવાનું કામ શરૂ થઈ ગયું હતું અને હાલ સરકારે 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જણાવી દઈએ કે કે જો તમારી પાસે 2000 રૂપિયાની જૂની નોટ છે અને તમે તેને નવી નોટ સાથે બદલવા માંગો છો તો એ વસ્તુ શક્ય નથી કારણ કે સરકારે નવી નોટો છાપવાનું બંધ કરી દીધું છે એ 2000 ની નોટને બદલે બેંકમાંથી તમને 500-500ની ચાર નોટ મળી રહેશે. 2000 રૂપિયાની ઘણી નોટો બેંકમાં પાછી આવી છે અને હાલ બાકી રહેલી આ નોટ હવે માત્ર ભ્રષ્ટાચાર અને હવાલામાં રોકાયેલી છે. જે લોકો બે નંબરનો બિઝનેસ કરે છે એમની પાસે હજુ પણ આ નોતો પડી છે અને આજે નહિ તો કાલે એ બહાર આવશે અને એ પછી ભ્રષ્ટાચાર ઓછો થી જશે. બે હજારની નોટ હવે છૂટક ચલણમાં નથી અને તેના વીના પણ બજાર ખૂબ જ સરળ રીતે ચાલી રહ્યું છે.'