કોરોના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચના અંતમાં લોકડાઉન લગાવી દીધું હતું, જેના કારણે સ્કૂલ-કોલેજ, સિનેમા હોલ સહિતની ભીડભાડ વાળી જગ્યાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.
કેન્દ્રની મોદી સરકારે તમિલનાડુ સરકારને કરી ટકોર
સિનેમાઘરોને 100 ટકા ક્ષમતા સાથે ખોળવાનો નિર્ણય પાછો લેવા જણાવ્યું
તમિલનાડુમાં આ વર્ષે ચૂંટણીઓ છે અને ભાજપ AIADMK સાથે ગઠબંધન ધરાવે છે
કોરોના રોગચાળા વચ્ચે, કેન્દ્ર સરકારે તમિલનાડુ સરકારને સિનેમાઘરોમાં 100 ટકા દર્શક ક્ષમતાને માન્યતા આપતો પોતાનો હુકમ પાછો ખેંચવા કહ્યું છે. 4 જાન્યુઆરીએ તમિલનાડુની ઇકે પલાનીસામી સરકારે સિનેમાહૉલ પર 50 ટકા પ્રેક્ષકોની મર્યાદા નક્કી કરી હતી તેને દૂર કરવામાં આવી હતી. તમિલનાડુ સરકારે સિનેમાઘરોને સંપૂર્ણપણે ખોલવાની મંજૂરી આપી દીધી હતી.
કોરોના કેસો વધવાની શક્યતાને પગલે મંજૂરી પછી ખેંચવા જણાવ્યું
AIADMK સરકારના આ પગલાથી, લગભગ 9 મહિના પછી સિનેમા હોલ ફરીથી 100 ટકા દર્શકોની ક્ષમતા સાથે પહેલાથી જ સરળતાથી ચાલી રહ્યું હતું, પરંતુ કોરોના કેસ વધવાની અપેક્ષા સાથે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની આ મંજૂરીને પાછી ખેંચવા જણાવ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે તમિલનાડુમાં અત્યાર સુધીમાં 8 લાખ, 22 હજાર 370 કેસ જેટલા કોરોના કેસો નોંધાયા છે, જેમાં 8,02,385 લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 12, 177 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 7808 છે.
મોદી સરકારે માર્ચ મહિનામાં લગાવી દીધું હતું લોકડાઉન
કોરોના ચેપના ભયને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચના અંતમાં લોકડાઉન લગાવી દીધું હતું, જેના કારણે સ્કૂલ-કોલેજ, સિનેમા હોલ સહિતની ભીડભરી જગ્યાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. જેમ જેમ કોરોના કેસ ઓછા થયા છે, ત્યારે તેમને હવે ધીમે ધીમે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે