જે પ્રમાણે ભારતમાં બીજી લહેર બાદ ત્રીજી લહેર આવવાના સંકેત મળી રહ્યા છે ત્યારે WHO ના વૈજ્ઞાનિકે આપ્યા આ કારણો
WHO સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ઘણા બધા કારણો બતાવ્યા
PM મોદી અને બીજા નેતાઓએ યોજેલી રેલીઓ પણ જવાબદાર
ભારતમાં ધીમી ગતિએ ચાલતી વેકસીનેશન પ્રક્રિયા પણ છે કારણ
WHO સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ઘણા બધા કારણો બતાવ્યા
બીજી લહેરમાં રોજ 4 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામી રહયા છે. આ કેસનો દર અને મૃત્યુનો દર કેમ વધી વધી રહ્યો છે તેની પાછળ WHO સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ઘણા બધા કારણો બતાવ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં આ રીતે કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે તે માટે કોરોનાનો નવો વેરિયન્ટ મૂળ કારણ છે. જે ઘણો સંક્રમિત કરનાર અને જીવ લેનાર છે. સાથે જ સાવ ધીમી ગતિએ ચાલી રહેલ વેકસીનેશન પણ જવાબદાર છે.
એક ન્યૂઝ ચેનલમાં આપેલ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આપણે જે કોરોના મહામારીના દ્રશ્યો જોઈ રહ્યા છે તે સીધું એ દર્શાવે છે કે કોરોનામાં આવેલ નવો વેરિયન્ટનાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે આ મહામારીથી બચવા માટે એક જ ઉપાય છે અને તે છે માત્ર રસીકરણ. અને આ રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવી પડશે.
હાલમાં ભારતમાં રોજ ચાર લાખથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. ભારતની હોસ્પિટલોમાં બેડ અને ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે. અને ભારતની હેલ્થ સિસ્ટમ સાવ પડી ભાંગી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ વેરિયન્ટ ભારતમાં ઓકટોબર મહિનામાં સામે આવ્યો હતો. અને વિસ્ફોટ થવાનું મુખ્ય કારણ તે જ છે. આ વેરિયન્ટ દેશમાં લાખો લોકોનાં જીવ લઈ રહ્યો છે અને તે ઘણો જીવલેણ સાબિત થયો છે. આ વેરિયન્ટ શરીરમાં ઘણો જલ્દી જ પ્રસરે છે અને તે એન્ટિબોડી બનાવતા પણ રોકે છે. બ્રિટન અને અમેરિકા પણ આ વેરિયન્ટને ઘણી ગંભીરતા થી લઈ રહ્યા છે. સાથે જ ભારતના લોકો ઘણી બેદરકારી રાખે છે તેવું પણ ઉમેરતાં કહ્યું. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હતા, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની લાપરવાહી પણ તેનું કારણ છે.
PM મોદી અને બીજા નેતાઓએ યોજેલી રેલીઓ પણ જવાબદાર
આગળ તેમણે કહ્યું કે PM મોદી અને બીજા નેતાઓ પણ મોટી સંખ્યામાં રેલીઓ યોજી રહ્યા હતા, જેના કારણે સંક્રમણ વધુ ફેલાયું. રેલીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ કોરોના ફેલાવવામાં મદદ કરી રહ્યો હતો. આ ઉપરાંત લોકો એવું માનતા હતા કે હવે કોરોના જેવુ કઈ પણ નથી રહ્યું. તેથી લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું હતું, અને બીજા બધા જ નિયમોને પડતાં મૂકી દીધા હતા. એટલે સરળતાથી કોરોના વધતો ગયો.
ભારતમાં ધીમી ગતિએ ચાલતી વેકસીનેશન પ્રક્રિયા પણ છે કારણ
સાથે જ તેમણે સરકાર દ્વારા ચાલતી ધીમી વેકસીનેશન પ્રક્રિયા વિશે પણ વાત કરી હતી. ધીમી વેકશીનેશન પ્રક્રિયા પણ આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે સૌથી વધુ વેક્સિન બનાવનાર દેશ ભારતે અત્યારસુધીમાં માત્ર બે ટકા લોકોનું જ વેકસીનેશન્ કર્યું છે. આખા દેશને આવી રીતે રસી આપવામાં વર્ષો નહીં તો મહિનાઓ લાગી જ જશે.