સુરતમાં રાજધાની બસ સળગવા મામલે નવો વળાંક આવ્યો છે. દુર્ઘટનામાં મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે બસ નોન-એસી હતી, એસી કમ્પ્રેશર ફાટવાની વાત ખોટી છે. બસમાં સેનિટાઈઝરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. ગોવાથી ભાવનગર પરત ફરતા યુગલ ઘટનાનો ભોગ બન્યું હતું. આગ લાગવાની ઘટના દરમિયાન બસમાં વિશાલ અને તેની પત્ની મૃતક તાન્યા હાજર હતા. ઘાયલ વિશાલના કહ્યા અનુસાર રાજધાની બસમાં મોટાભાગે પાર્સલ રાખેલા હતા જેમાં સેનેટાઈઝરનો જથ્થો ખૂબ જ વધુ પ્રમાણમાં હતો.હાલ વિશાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાંથી તેને વીડિયો જાહેર કરી આ બસમાં આગ અંગે ખુલાસો કરતાં સમગ્ર બનાવે એક નવો માર્ગે પકડ્યો છે.
બસમાં બેઠેલા અને તમામ દ્રશ્યો નજરે જોનારની રૂવાડા ઊભા કરી દે તેવી આપવીતી
કંડક્ટરે ડ્રાઈવરને જોરથી બૂમો પાડીને ગાડી ઊભી રાખવા કહ્યું, મોટે મોટેથી રાડ પાડવા લાગી કે પાછળથી ધુમાડા નીકળે છે. મે દરવાજો ખોલીને જોયું તો ખરેખર વધુ ધુમાડા નીકળી રહ્યા હતા. મે મારી વાઈફને કહ્યું કે અહિયાંથી નહીં નીકળી શકાય પેલી તરફ જઈએ. આપણે કૂદીને બહાર નિકલીશું જે બાદ મૈ બારી માંથી કૂદકો માર્યો. બસ એસી ન હતી. બસ સપૂર્ણ પણ ખાતરી સાથે કહ્યું છું કે બસ નોન એસી જ હતી. જે બાદ હું દરવાજા આગળ ગયો એમ કે અંદરના લોકો અને મારી પત્નીને બહાર લાવું પણ આગ વિકરાળ હતી એટલે એ શક્ય ન બન્યું.
બસનું ટાયર ફાટતા ગંભીર ઇજાઓ થઈ
તે બાદ હું બારી પાસે ગયો અને મારી વાઈફને બૂમો પાડી કે તું આ તરફ આવી જા ક્યાંય નીકળાય તેવુ નથી. હું તેને હાથ લંબાવીને લેવા જઈ રહ્યો હતો એટલામાં આગે વધુ ભયંકર રીતે ભભૂકી ઉઠી અને ટાયર સીધું ફાટીને મારા મોઢા પર લાગ્યું. જે બાદ મને 108 મારફતે હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો. ગાડીની પાછળ મેડિકલ સામગ્રી તેમજ સેનેટાઈઝરનો વધુ પ્રમાણમાં જથ્થો હતો જેથી બનવા કાલે લાગેલી આગે વધુ ભયવાહ રૂપ ધારણ કરી લીધું હતું.
શું હતો બનાવ?
સુરતમા મંગળવારે મોડી સાંજે હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં વરાછા હીરાબાગ નજીક એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા ભડથુ થઈ ગઈ હતી, ઘટના બની તે સમયે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું, ત્યાર બાદ આ બસમાં આગ લાગી ગઈ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા , જે મુજબ બસ નોન AC હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજે બસમાં બેઠેલા મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો ખુલાસો કરતાં બસમાં સેનેટાઈઝરનો જથ્થો વિપુલ માત્રામાં હતો. બનવા કાળે આગ લાગતા સેનેટાઈઝરને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હોવાનો દાવો કયો છે.