જૂનાગઢમાં કારના અકસ્માની ઘટના સામે આવી છે. માંગરોળથી માધવપુર જતા રોડ પર કારને અકસ્માત નડ્યો છે. અકસ્માત થતા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ માંગરોળનો પરિવાર લગ્ન પ્રસંગથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા વચ્ચે કાર પલટી જતા 4 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથધરી છે.
માગરોળ પોરબંદર રોડ પર કલ્યાણ ધામ નજીક આજે વહેલી સવારે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી ફોરેસ્ટની બનાવેલ ઝુપડીમા ધુસી જતાં કારમાં સવાર ચાર મીત્રોના ઘટના સ્થળ પરજ કમકમાટી મોત નિપજ્યા છે. લોહાણા પરીવારમા બહેના લગ્નના દીવસે'જ ભાઈનુ મોત થયું છે ખુશીનો પ્રસંગ ગમમા ફેરવાયો છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે કારને બહાર નીકાળવા વરામબાગના યુવાનો અને જીસીબી ની મદદ લેવી પડી આ ઘટના પગલે આસપાસના લોકોએ એક બાદ એક ચારેય લોશોને બહાર કાઢી સરકારી હોસ્પીટલમા મોકલી આપી છે.
ચાર યુવાનમાથી બે યુવાન માગરોળ શક્તિ નગરમા રહેતા રબારી પરીવારના છે જ્યારે બે યુવાનો લોહાણા પરીવાના તેમાથી એકની બહેનના આજે લગ્ન હોય ત્યારે ચાર ચાર યુવાનના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગય છે. મહત્વપુર્ણ છે કે થોડા દિવસ પહેલા આ રોડ પર ચારના મોત બાદ આજે વધુ ચારના મોત થતા પોરબંદર રોડ અકસ્માતના નામે વલોહયાણ બની રહ્યો છે.