ODI અને T20 બાદ હવે રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનવા જઈ રહ્યો છે, BCCI દક્ષિણ આફ્રિકાની ODI સિરીઝ બાદ તેના નામની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
BCCI સાથે થશે મહત્વપૂર્ણ બેઠક
રોહિત શર્મા છે હેમસ્ટ્રિંગ ઈજાથી પીડિત
વાઇસ કેપ્ટન વિષે પણ થશે ચર્ચા
વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડતાની સાથે જ તમામ ફેન્સના મનમાં સવાલ ઉઠ્યો હતો કે ટીમની કેપ્ટનશિપ કયા ખેલાડીને સોંપવામાં આવશે. ઈનસાઈડ રિપોર્ટના અહેવાલ મુજબ, રોહિત શર્મા નવો ટેસ્ટ કેપ્ટન બનવા જઈ રહ્યો છે. રોહિત શર્માને સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને હવે વિરાટના રાજીનામા બાદ કેપ્ટનશિપ તે સંભાળશે.
BCCI સાથે થશે મહત્વપૂર્ણ બેઠક
જો કે, રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનાવતા પહેલા BCCI તેની સાથે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ વાત કરશે. એક રીપોર્ટ અનુસાર, સિલેક્ટર્સે રોહિત શર્મા સાથે વર્કલોડ અને ફિટનેસ સંબંધિત મુદ્દાઓ પર વાત કરશે. BCCI ના અધિકારીના જણાવ્યા અનુસાર, 'વર્કલોડ ખૂબ જ વધારે છે. રોહિત શર્માએ પોતાને ફિટ રાખવાની જરૂર છે. મને લાગે છે કે પસંદગીકારો તેની સાથે વાત કરશે અને તેણે ફિટનેસ પર વધારાનું કામ કરવું પડશે."
રોહિત શર્મા છે હેમસ્ટ્રિંગ ઈજાથી પીડિત
એક રિપોર્ટ અનુસાર રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાથી પીડાય છે. છેલ્લા એક વર્ષમાં તે બે વખત તેનો શિકાર બની ચૂક્યો છે. રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો અને ટેસ્ટ અને વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. એટલા માટે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી સોંપવી પણ એક મોટું જોખમ ગણી શકાય છે.
વાઇસ કેપ્ટન વિષે પણ થશે ચર્ચા
રોહિત શર્માનું ડેપ્યુટી કોણ હશે તે મુદ્દે BCCI ના અધિકારીએ પણ મોટી વાત કહી છે. BCCIના અધિકારીએ કહ્યું, 'વાઈસ-કેપ્ટન ટીમ ઈન્ડિયાનો આગામી લીડર હશે. KL રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ તમામ ભવિષ્યના લીડર છે. સિલેક્ટર્સને ઘણું વિચારવું પડશે કે ટીમનો નવો વાઇસ કેપ્ટન કોણ હશે?