જેડીયુના ઉમેદવાર પઠાણ ઈમ્તયાઝ ખાનને માત્ર 30 વોટ મળ્યા
ઉમેદવારે ઓછા મત બાબતે પાર્ટીને જવાબદાર ગણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની બાપુનગર બેઠક પર નીતિશ કુમારની પાર્ટી JDUનો ઉમેદવાર પઠાણ ઈમ્તયાઝ ખાન સિદખાનને સોથી ઓછા મત 30 મળ્યા છે. પઠાણે આનો જવાબદાર કારણ તેમની પાર્ટીને ગણાવી છે અને કહ્યું કે, એમના પક્ષે એમનો પ્રચાર જ નથી કર્યો. તેમણે જણાવ્યું કે, મેં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હોત તો પણ મને વધુ વોટ મળત. તમણે કહ્યું કે, વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર ચૂંટણી લડી હતી ત્યાં 5000 મત મળ્યા હતાં. તેમણે જણાવ્યું કે, તે સમય અપક્ષ ઉમેગદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં.
સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર
તેમણે કહ્યું કે અહીં જેડીયું કોણ છે તે કોણ છે તે ક્યા કોઈ જાણે છે કોઈ JDUને કોઈ ઓળખતું પણ નથી અને આ થવાનું જ હતું. તેમણે જણાવ્યું પાર્ટીએ 6 લોકોને ટિકિટ આપી હતી જેમાંથી બધા જ હારી ગયા છે. તમને જણાવી દઈએ કે, 182 બેઠક પર 1621 ઉમેદવારો રાજકીય મેદાને ઉતર્યા હતા જેમાંથી સૌથી ઓછા મત બાપુનગર બેઠકના જેડીયુના ઉમેદવાર પઠાણ ઈમ્તયાઝ ખાન સિદખાન મળ્યા છે.
પહેલા AIMIM પછી JDU
વર્ષ 2002માં ગુજરાતના રમખાણો વખતે ગુલબર્ગ સોસાયટી નરસંહારના પ્રમુખ ગવાહ પઠાણે કહ્યું કે 2019ની ચૂંટણી પછી તે ઔવેસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજાલિસ-અ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન સાથે જોડાયા હતા જેમાં તેઓ બે વર્ષ સભ્ય રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, મને લાગ્યું ઔવેસી મને ટિકિટ નહી આપે ત્યારે હું જેડુયુમાં જોડાઈ ગયો હતો.
ગુજરાતમાં ભાજપની ઈતિહાસિક જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. ત્યારે આગામી 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ભાજપને ગત 2017માં 42 ટકા મત મળ્યા હતા જ્યારે આ વખતે 2022માં 53 મત શેયર મળ્યા છે. જ્યારે કોંગ્રેસના વોટ શેયરમાં મોટો ઘટાડો થયો છે. 2017ની વાત કરીએ તો 42 ટકા મત મળ્યા હતા જ્યારે આ વખતે 27 ટકા મત મળ્યા છે