ખેડૂતોના સિચાઈના પાણીને લઈને VTV દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યુું જેમા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સાણંદમાં આવેલ માઈનોર સબ કેનાલ લાખોના ખર્ચે બનાવામાં આવી છે. પરંતુ તેમા 10 વર્ષથી પાણી જ નથી છોડવામાં આવ્યું.
સાણંદમાં ચંદનપુરા ગામની કેનાલને લઈ મોટો ખુલાસો
10 વર્ષથી કેનાલમાં પાણી જ નથી છોડવામાં આવ્યું
કાંટાળી વનસ્પતિ અને બાવળાઓ વચ્ચે ઢંકાઈ ગઈ છે માઈનોર કેનાલ
કેન્દ્ર સરકાર દ્વારા 2022-23નું બજેટ જાહેર કરવામાં આવ્યું, આ બજેટમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તેમજ ડ્રોનથી ખેતીથી ખેતી કરે તે પ્રકારની બ્લુ પ્રિન્ટ આપી છે..રાજ્યનો ખેડૂત સમૃદ્ધ છે,અને ખેડૂત સિંચાઇથી ખેતી કરે છે,નર્મદાનું સિંચાઈનું પાણી ગુજરાતના ખેડૂતોને મળી રહે છે,જોકે વીટીવી દ્વારા નર્મદાના સિંચાઇના પાણીની વ્યવસ્થા કેવી છે,ખેડૂતોને મળે છે કે કેમ ? શુ સાચા અર્થમાં રાજ્યના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહે છે કે કેમ કેનાલનું નેટવર્ક ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું છે..ત્યાં કેવી સ્થિતિમાં છે,તે અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
કેનાલ ખાલી હાલતમાં જોવા મળી
રાજ્યની સૌથી મોટી સિંચાઇ યોજના એટલે કે નર્મદાની સિંચાઈ યોજના. આ નર્મદાની સિંચાઈ યોજના કચ્છ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે. જેના કારણે નર્મદા સિંચાઈ યોજના થકી મુખ્ય કેનાલ મારફત સબ કેનાલ, સબ માઈનોર અને માઇનોર કેનાલ થકી ખેડૂતોને સિંચાઇનો લાભ મળે છે. ખેડૂતો સિંચાઇનો લાભ રવિ પાક માટે ખરીફ પાક માટે કે પછી ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણીનો ઉપયોગ કરી ખેતી કરે છે. ત્યારે vtv વિવિધ ગામડાની મુલાકાત સિંચાઈ સ્થતિ જાણકારી માટે રિયાલિટી ચેક કરી તો સબકેનલમાં ઠેર ઠેર મશીનોમા પાણી લેતા ખેડૂતો નજરે પડ્યા છે,જો કે સબ કેનાલ પાસે જ માઇનોર કેનાલ ખાલી ખમ હાલતમાં જોવા મળી હતી.
કેનાલનો વિસ્તાર 15 થી 17 કિમી સુધીનો
સાણંદ તાલુકાના ચંદનપુરા ગામથી સબમાઈનોર કેનાલ પાસેથી માઇનોર કેનાલ વિવિધ ગામડાના ખેડૂતોને સિંચાઈ પાણી મળે તે માટે બનાવવામાં આવી છે. જે ચંદનપુરા ગામથી 15 થી 17 કિલોમીટરના વિસ્તારમાં માઇનોર કેનાલનું નેટર્વક ધરાવતી ફેલાયું છે. પરંતુ આ કેનાલમા પાણીનું એક પણ ટીપું નથી. બલકે ઠેર ઠેર બાવળીયા કંટાળી વનસ્પતિ તેમજ ઘાસ વચ્ચે ઢાંકયેલી માઇનોર કેનાલ હાલત છે. આ કેનાલમાં ફક્ત કિલોમીટર નહિ પરંતુ શરૂઆતથી અંત સુધી આ સ્થતિમા છે.
15 વર્ષ પહેલા કેનાલ નિર્માણ પામી
એક પણ ટીપુ પાણી ના ધરાવતી બાવળીયા અને કાંટાળી વનસ્પતિ વચ્ચે ઊભેલી કેનાલ 15 વર્ષ પહેલા નિર્માણ પામી છે. આ કેનાલની પાસે આવેલા ખેતરના માલિકોનું કહેવું છે કે, કેનાલ બની ત્યારે પાણી જોયું પછી છેલ્લા દસ વર્ષથી કેનાલમાં એક પણ ટીપું પાણીનું જોયું નથી, ફક્ત કેનાલમાં ફક્ત કાંટાળી વનસ્પતિ સિવાય કાઈ જોવા મળ્યું નથી...પાણી ક્યારેય મળી એ આશા હવે ખેડૂતો માટે નિરાશા સમાન બની ગયું છે.
800 એકરમાં સિંચાઈ સુવિધા મલી શકશે
નર્મદાની આ માઇનોર કેનાલમાં પાણી આવે તો 800 એકરમાં સિંચાઈ સુવિધા મળી શકે છે,અને ખેડૂતો બન્ને સીઝનમાં પાક લઈ શકે છે,પરંતુ પાણી અભાવે આ માઇનોર કેનાલ આસપાસ જગ્યામા પુરાઈ ગઈ અને ચોમાસા આસપાસના ખેતરમાં પાણી નિકાલ અટકી ગયો અને પાણી ભરાઈ રહ્યા છે,જેના કારણે કેનાલ પાણી સિંચાઈ માટે મળતું નથી અને ચોમાસામાં ખેતરમાં પાણીનો નિકાલ પણ થતો નથી.
કેનાલમાં પાણીની જગ્યાએ બાવળીયા
સિંચાઈ પાણી અંગે VTV દ્વારા રિયાલિટી ચેક કરી તો સાણંદ તાલુકા લાખો ખર્ચે બનેલી કેનાલ શોભના ગાંઠિયા સમાન બની જોવા મળી....ખેડૂતો સિંચાઈ પાણી તો ઠીક પરંતુ બાવળીયા જ જોવા મળે છે...ખેડૂતો સરકાર પર આક્ષેપ કરે છે,કેનાલ સરકારે સવલત માટે બનાવી છેકે બનવા ખાતર બનાવી છે,તેવા સવાલો ઉભા કરી રહ્યા છે...