કેગના રિપોર્ટમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઓછો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. તેમજ રાજ્ય સરકાર પાસે રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો છે.
કેગના અહેવાલમાં થયા ખુલાસા
2021-22નો કેગનો અહેવાલ રજૂ કરાયો
શાળાઓમાં મોટાપાયે જગ્યાઓ ખાલી
રાજ્ય સરકારનો વર્ષ 2021-22નો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના રિપોર્ટમાં વિવિધ મુદ્દા અને ખર્ચને લઈ અનેક ખુલાસા થયા હતા. રિપોર્ટમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઓછો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. તેમજ રાજ્ય સરકાર પાસે રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો છે. તેમજ અંદાજપત્રની ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકારની નબળી કામગીરી હોવાનું સામે આવ્યુ છે. ઉપરાંત રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મોટાપાયે શિક્ષકો અને આચાર્યની જગ્યાઓ ખાલી છે. સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 11,996 જગ્યાઓ ખાલી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થયો છે.
3 વર્ષમાં 2963 કરોડમાં ભંડોળ સામે 2000 કરોડનો ખર્ચ કરાયો છે
રાજ્ય સરકારે વર્ષ 2021- 22 દરમિયાન કોઈપણ જોગવાઈ વગર 95 કરોડનો ખર્ચ કર્યો છે. અંદાજ પત્રિય ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકારની નબળી કામગીરી દર્શાવાઈ છે. અંદાજ પત્ર અંદાજો વાસ્તવિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યો નથી. છેલ્લા 10 વર્ષમાં 10855 કરોડનો અધિક ખર્ચ નિયમીત કરવાનો બાકી તેમજ નાણાં વિભાગે કરેલી ઉચ્ચક જોગવાઈ નિયમોને અનુરૂપ નહીં હોવાનું ખુલાસો થયો છે. વન વિભાગમાં 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડનો ખર્ચ કરાયો છે. વનવિભાગે અંદાજ પત્ર દરમ્યાન કરેલી જાહેરાતોનો અમલ ના કર્યો અને રાજ્યના આરોગ્ય વિભાગે બજેટમાં 170 કરોડની મજૂર થયેલી 26 નવી બાબતોની અમલવારીમાં નિષ્ક્રિયની વિગતો સામે આવી છે. છેલ્લા 3 વર્ષમાં 2963 કરોડમાં ભંડોળ સામે 2000 કરોડનો ખર્ચ કરાયો છે. બીજાં રાજ્યોની તુલનામાં શિક્ષણ પાછળ ઓછો ખર્ચ થયાનું જાણવા મળ્યું છે.
શાળાઓમાં 32,674 જગ્યાઓ ખાલી
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે તેમજ રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યાઓ ખાલી છે જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 11,996 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી અને રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,552 આચાર્યની જગ્યાઓ ખાલી છે. સરકારી શાળાઓમાં હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતર પર વિપરીત અસર પડે છે. રાજ્યમાં લાખો યુવાન-યુવતીઓ સરકારી નોકરી મેળવવા રાત-દિવસ લાખો રૂપિયા ટયુશન ફી ભરીને પરીક્ષાઓની તૈયારી કરે છે અને યુવાન-યુવતીઓને સરકારી નોકરી મળે તેવી હજારો જગ્યાઓ ખાલી છે તેમ છતાં રાજ્ય સરકાર સમયસર આવીજ ગ્યાઓ ભરતી નથી.
દરિયાકાંઠે આવેલા મેન્ગ્રૂવના નિકંદન અંગે પણ મોટો ખુલાસો
ખારા પાણીને પીવા લાયક બનાવવા ઈઝરાયલની ટેકનોલોજીથી સજ્જ 7 જીપ માટે રૂ.12.56 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતો. જીપની ક્ષમતા દૈનિક 20થી 80 હજાર લિટર ખારા પાણીને શુદ્ધ કરવાની હતી, પરંતુ તેની તેની માંડ 5થી 7 હજાર પાણી શુદ્ધ કરાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે આવેલા મેન્ગ્રૂવના નિકંદન અંગે પણ મોટો ખુલાસો કરાયો છે. ગુજરાત સરકારે મેન્ગ્રૂવના નિકંદનનો છૂટો દોર આપ્યો હોય તેમ સ્પષ્ટ થાય છે. કંડલા પોર્ટ પર 117 હેક્ટરમાં મેન્ગ્રૂવનો નાશ કરવામાં આવ્યો છે. મેન્ગ્રૂવ નાશ કરવાના કારણે ખરાઈ પ્રજાતિના ઊંટ પર જોખમ ઊભું થયું છે. રાજ્ય સરકારના કેટલાક ખર્ચ કુલ ખર્ચના 50% થી વધુ ફક્ત માર્ચ મહિનામાં કરવામાં આવ્યા છે.