રાજકોટનો સૌથી વધુ ટ્રાફિક વાળો રોડ 1 વર્ષ માટે બંધ રોડ પર ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી હોવાથી લેવાયો મહત્વનો નિર્ણય, હવે સોમનાથ-પોરબંદર જતાં વાહનો અહીંથી જઈ શકશે
રાજકોટનો સૌથી વધુ ટ્રાફિક વાળો રોડ 1 વર્ષ માટે બંધ રહેશે
ગોંડલ રોડ ચોકડી પર 1 વર્ષ માટે વાહનની અવરજવર બંધ
ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી રસ્તો 1 વર્ષ માટે બંધ કરાયો
રાજકોટમાં કામકાજે જતા લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, શહેરમાં જે રોડ વાહનોથી ધમધમતો હતો તે રોડને કોર્પોરેશન દ્વારા એક વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડી શકે છે. રોડ પર સતત વાહનો અને ટ્રોફિકથી ધમધમતો માર્ગે બંધ થતા શહેરીજનોની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ગોંડલ રોડ ચોકડી પર 1 વર્ષ માટે વાહનની અવરજવર બંધ
જે માર્ગે બંધ કરવામાં આવ્યો છે તે માર્ગે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે પરતું હવે માર્ગ બંધ કરાતા હવે તમામ વાહનો બીજે ડાયર્વટ થશે તેથી શહેરીજનોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી શકે છે. તો બીજી તરફ જે રોડ પરથી વાહનો પસાર થશે ત્યા રહેતા સ્થાનિકોને પણ વાહનોના ઘોંઘાટ અને ધ્વનિ પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી રસ્તો 1 વર્ષ માટે બંધ કરાયો
આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ઓવરબ્રીજ બનતો હોવાથી રોડને 1 વર્ષ સુધી અવરજવાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારને ટ્રાફિકની બાબતમાં સતત વસ્ત રહેતો વિસ્તાર માનવામાં આવે છે, દિવસ દરમિયાન ત્યાંથી હજારો વાહનો પસાર થતા હોય છે, જ્યારે અન્ય શહેરોમાં જતા વાહનો પણ ત્યાંથી જ પસાર થતા હોય છે, એવામાં સોમનાથ, પોરબંદર જતા વાહનોને માટે પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ રોડ પરથી પસાર થનાર વાહનોને કોરાટ ચોકથી થઈ જઈ શકશે.