ભારતે પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇક બાદ અમદાવાદનાં તમામ પોલીસ સ્ટેશનની બહાર રેતીની બોરીથી આડશ ગોઠવીને અથવા સિમેન્ટના બ્લોકથી બંકર બનાવીને બે પોલીસ કર્મચારીઓ બુલેટપ્રૂફ જાકીટ પહેરીને 24 કલાક તૈનાત કરવાના આદેશ અપાયા હતા. આદેશ બાદ કેટલાક દિવસ સુધી પોલીસ જવાનો ગન સાથે તૈનાત રહ્યા હતા, જોકે હવે શહેરનાં તમામ પોલીસ સ્ટેશનની બહાર મૂકેલાં બંકર માત્ર શો-પીસ બનીને રહી ગયાં છે. પોલીસ સ્ટેશનમાં સ્ટાફના અભાવના કારણે બંકરમાં પોલીસ કર્મચારીઓ હિથયાર લઇને ડ્યૂટી કરી શકતા નથી.
હાઈએલર્ટને નામે શરૂ કરેલી કામગીરી નામશેષ
શહેરના પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલા સુરક્ષાગાર્ડ ગાયબ
24 કલાક બે કર્મચારીઓને બુલેટપ્રૂફ જાકીટ પહેલીને તૈનાત રહેવા અપાયા હતા આદેશ
તત્કાલીન પોલીસ કમિશનર એ.કે. સિંઘે શહેરનાં તમામ પોલીસ સ્ટેશનની બહાર ગાર્ડ તૈનાત કરવા આદેશ આપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં રેતીની બોરીની આડશ કરીને તેમજ લોખંડનાં બંકર ગોઠવીને બે પોલીસ કર્મચારીઓ બુલેટપ્રૂફ જાકીટ તેમજ ઇનસાસ રાઇફલ અને બીજાં શસ્ત્રો સાથે 24 કલાક ગોઠવી દેવાનો આદેશ આપ્યો હતો.
હાઈએલર્ટને નામે શરૂ કરેલી કામગીરી નામશેષ
પોલીસની આ કામગીરી લોકોએ વખાણી હતી, પરંતુ હવે સ્થિતિ જ બદલાઇ ગઇ છે. હાઇ એલર્ટના નામે શરૂ કરેલી આ કામગીરી આજે નામશેષ થઇ ગઇ છે. રેતીની બોરીથી બનાવેલ બંકર પાછળ મૂકેલા સુરક્ષા જવાનો ગાયબ થઇ ગયા છે. અમદાવાદનાં મોટા ભાગનાં પોલીસ સ્ટેશનમાં ચેક કરતાં જાણવા મળ્યું છે કે હિથયારધારી સુરક્ષા જવાનો ગાયબ છે.
શહેરના પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલા સુરક્ષાગાર્ડ ગાયબ
શહેરના એિલસિબ્રજ, વેજલપુર, વાસણા, પાલડી, નવરંગપુરા, શાહપુર, માધુપુરા, મેઘાણીનગર તેમજ નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા સુરક્ષા ગાર્ડ ગાયબ હતા. શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે બંકરમાં પોલીસ જવાનો ફરિજયાત રાખવાનો નિયમ છે, પરંતુ સ્ટાફના અભાવ અને બંદોબસ્તના કારણે પોલીસ જવાનો તહેનાત રહી શકતા નથી. આ મામલે અમદાવાદ શહેર પોલીસ કિમશનર આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે આ નિર્ણય પૂર્વ પોલીસ કિમશનર દ્વારા લેવામાં આવ્યો હતો, જોકે તે કેટલો પ્રેક્ટિકલ છે તે જોઇને તે અંગે નિર્ણય કરાશે.