ગુજરાત બજેટ 2023માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રવાસન વિકાસ માટે કુલ 2077 કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં આઈકોનિક ટુરિસ્ટ સ્થળોના વિકાસ માટે 706 કરોડ ફાળવાયા છે.
પ્રવાસન વિકાસ માટે કુલ 2077 કરોડની જોગવાઈઓ
આઈકોનિક ટુરિસ્ટ સ્થળોના વિકાસ માટે 706 કરોડ ફળવાયા
સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે 10 કરોડની ફાળવણી
આજે શુક્રવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ ગુજરાતનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે ગુજરાતના પ્રવાસન વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રવાસન વિકાસ માટે કુલ 2077 કરોડની જોગવાઈઓ કરી છે.
ગુજરાત બજેટ 2023-24માં કરાયેલી મહત્વની જોગવાઈઓ
- ધાર્મિક, હેરિટેજ, ઈકો ટુરિઝમના વિકાસ માટે 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- એરસ્ટ્રીપ-એરપોર્ટ પર એર કનેક્ટિવિટી વધારવા 215 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- અંબાજી-ધરોઈ બંધ પરિક્ષેત્રના વિકાસ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડ વધારવા 94 કરોડની જોગવાઈ.
- હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે 33 કરોડની જોગવાઈ
- કર્લી જળાશયને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા 25 કરોડની જોગવાઈ.
- ધોળાવીરા, ધરોઈ, કડાણા ડેમ, નડા બેટ, શિવરાજપુર બેટમાં ટેન્ટ સિટી માટે 20 કરોડની જોગવાઈ કરાઈ છે.
- સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ કરાઈ છે.
- SoU એકતાનગરમાં વિવિધ કામગીરી માટે 565 કરોડની જોગવાઈ કરાઈ છે.
પ્રવાસન, ચાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન
- પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે રૂ.2077 કરોડની જોગવાઇ
- આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે રૂ.706 કરોડની જોગવાઇ
- ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ.640 કરોડની જોગવાઇ.
- એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે રૂ. 215 કરોડની જોગવાઈ.
- અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે રૂ. 300 કરોડની જોગવાઈ.
- હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે રૂ. 33 કરોડની જોગવાઇ.
- શિવરાજપુર બીચ, નડાબેટ, ધોળાવીરા,કડાણા ડેમ, ધરોઇમાં બનાવાશે ટેન્ટ સિટી જેના માટે રૂ.20 કરોડની જોગવાઈ
- એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે રૂ. 565 કરોડની જોગવાઇ.