લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ ગુજરાતમાં મુખ્યમંત્રી રહેતા સમયે નરેન્દ્ર મોદીના અનુભવો પર આધારિત છે.
અમે ન જમાઈ માટે કામ કરીએ છીએ ન ક્રોની માટે
PM મોદીના અનુભવો પર આધારિત બજેટ
મહામારી હોવા છતા દેશ આત્મનિર્ભર બનશે
PM મોદીના અનુભવો પર આધારિત બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે 1991માં પછી લાઇસેંસ અને કોટા રાજ જઇ રહ્યું હતુ આ દરમિયાન ગુજરાતમાં કેટલાક કામ થઇ રહ્યાં હતા અને તેના અનુભવના આધારે પોતાના રિફોર્મ્સને આ બજેટમાં સામેલ કરવામાં આવ્યું
અમે અર્થવ્યવસ્થાને ખોલી અનેક સુધારા કર્યા
નિર્મલા સીતારમણે બજેટ પર ચર્ચાની શરુઆત કરતા કહ્યું કે આ બજેટ નીતિઓ પર આધારિત છે. અમે અર્થવ્યવસ્થાને ખોલી અનેક સુધારા કર્યા. ભાજપે સતત ભારત, ભારતીય વ્યવસાય અર્થવ્યવસ્થાની મજબૂતી પર વિશ્વાસ કર્યો. આ જનસંઘથી લઈને તમામ સુધી ચાલ્યો. ભારતીય ઉદ્ધમ જે સન્માનના હકદાર છે તેમને તે આપ્યો. નિર્મલાએ કહ્યું કે બજેટ ભાષણમાં મે બહું સ્પષ્ટ રુપથી કહ્યું છે કે અમે સ્વાસ્થ્ય માટે એક સમગ્ર દ્રષ્ટિકોણ લઈ રહ્યા છીએ. મહામારીની સ્થિતિમાં સરકારને આ દેશમાં દિર્ઘકાલિક વિકાસને બનાવી રાખવા માટે જરુરી સુધારા પર નિર્ણય લેતા ન કરી શકાય.
મહામારી હોવા છતા દેશ આત્મનિર્ભર બનશે
લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપનાર છે. સીતારમણે કહ્યું કે મહામારી હોવા છતા દેશ આત્મનિર્ભર બનશે. નાણા મંત્રી એ કહ્યું કે બજેટમાં જે રિફોર્મ્સનું પ્રાવધાન કરવામાં આવ્યું તેના કારણે ભારતનું દુનિયાની ટોપ ઇકોનોમી બનવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો. જેનાથી દેશના દરેક નાગરિકની આકાંક્ષાઓ પૂરી કરી શકાય. સરકારને દેશના યુવાનો પર પૂરો ભરોસો છે. તેમણે કહ્યું 2013-14માં રાજસ્વ હેઠળ 1,16,931 કરોડ રુપિયા પૂજી હેઠળ, 86741 કરોડ, 44, 500 કરોડ રુપિયા પેન્શન હેઠળ ફાળવવામાં આવ્યા હતા. હવે રાજસ્વ 2,09,319 કરોડ પૂંજી હેઠળ 113734 કરોડ પેન્શન હેઠળ 1,33,825 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
નિર્મલાના જવાબમાં જમાઈ શબ્દ ગૂંજ્યો
નિર્માલાએ કહ્યું કે સવાલ હતો કે તમે ખેતીના બજેટમાં 10 હજાર કરોડ કેમ ઓછા કર્યા? તમને ખેડૂતોની ચિંતા નથી? આને યોગ્ય રીતે નથી સમજાવવામાં આવ્યું કેમ કે પીએમ કિસાન સન્માન યોજના શરુ થવાથી લઈને 10.75 કરોડ ખેડૂતોને બેંક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસને નિશાન સાધ્યું. નિર્મલાના જવાબમાં જમાઈ શબ્દ ગૂંજ્યો.
અમે ન જમાઈ માટે કામ કરીએ છીએ ન ક્રોની માટે
રાહુલ ગાંધીના હમ 2 હમારે 2ના નિવેદન પર નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યો છે કે અમે ન જમાઈ માટે કામ કરીએ છીએ ન ક્રોની માટે. અમે જનતા માટે કામ કરીએ છીએ. કોંગ્રેસ પર હલ્લાબોલ કરતા કહ્યું કે શશી થરુર અહી ઉપસ્થિત છે. કેરળમાં જ્યારે તેમની પાર્ટીની સરકાર હતી તો તે લોકોએ એક ક્રોનીને અહીં બોલાવ્યો હતો. ન કોઇ ટેન્ડર અને ના કાંઇ વધુ આ લોકો અમને કટ્ટર મૂડીવાદી કહે છે? એવું એટલા માટે કે કેરળમાં કોઇ જમાઇ નથી રહેતું.
આ યોજનાથી ગરિબોને,પછાત વર્ગોને ફાયદો થયો
પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી જનતા જ અમારી છે. આ યોજનાથી ગરિબોને,પછાત વર્ગોને ફાયદો થયો છે. અમે તેમના માટે કામ કરીએ છીએ. કોઈ જમાઈ માટે નથી કરતા. આ દરિમિયાન સીતારમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ કેમ પહેલા કૃષિ કાયદાનું સમર્થન કરતી હતી. હવે બદલાઈ ગઈ. ખેડૂતોને આટલું જ્ઞાન આપનારી કોંગ્રેસ ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે કહેચી હતી કે અમે કૃષિ લોન આપીશું. પરંતુ મધ્ય પ્રદેશમાં એ લાગૂ નથી થયું. કોંગ્રેસે વોટ લઈ ખેડૂતોને ગુમરાહ કર્યા.