ભરૂચની ઝઘડિયા બેઠક પરથી BTP ઉમેદવાર મહેશ વસાવાએ ફોર્મ પાછું ખેંચી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઝઘડિયા બેઠક પરથી BTP ટિકિટ પર મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવતા તેમના પિતા છોટુ વસાવાએ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ઝઘડિયા બેઠક પરથી BTP ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું
મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યું
આ બેઠક પરથી છોટુ વસાવાએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીના પડઘમ વચ્ચે ભરૂચ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભરૂચની ઝઘડિયા બેઠક પરથી BTP ઉમેદવાર મહેશ વસાવાએ ફોર્મ પાછું ખેંચી લેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. વાસ્તવમાં વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો હતો. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો હતો. બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે બાદ છોટુ વસાવાએ આ બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
છોટુ વસાવાએ નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી
ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુ વસાવાનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો હતો. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો હતો બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
રાજકારણ એવું ક્ષેત્ર છે જ્યાં ભાઈ-ભાઈને વેરી બનાવે છે, પિતા-પુત્ર દુશ્મન બની જાય છે. ખુરશીના મોહમાં નેતાઓ સંબંધો ભૂલીને વિરોધીઓ બને છે તેવા એક નહિ, અનેક કિસ્સા છે. ત્યારે બીટીપીના સ્થાપક છોટુ વસાવાની સામે તેમના પુત્રએ મોરચો માંડ્યો હતો. પિતાની પરંપરાગત ઝઘડીયા બેઠક પર પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી તો સામે છોટુ વસાવાએ અપક્ષમાંથી ફોર્મ ભરી દિકરા સામે જંગ છેડ્યો હતો.
છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTPમાંથી આપ્યું હતું રાજીનામું
છોટુ વસાવાને ટિકિટ ન મળતા તેમના નાના દીકરા દિલીપ વસાવાએ બીટીપીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'BTP તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય છોટુભાઈ વસાવાની જે અવગણના થઈ છે, જેના કારણે ST, SC, OBC, માઈનોરિટી સમાજના અધિકારની લડાઈને ભારે નુકસાન થઈ રહ્યું છે, એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા BTP અને BTTS તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.'
હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ: છોટુ વસાવા
આ વિધાનસભાની ચૂંટણીમાં BTP એ પોતાના 12 ઉમેદવારની યાદી જાહેર કરતા જ MLA છોટુ વસાવા ચૂંટણી નહિ લડેની વાતો વહેતી થઈ હતી. જોકે, આદિવાસી મસીહા છોટુ વસાવાએ આ અટકળોનો અંત આણ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, 'હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ અને ચૂંટણી લડાવીશ. આદિવાસીઓને એમના હક આપી દેવાઈ તો કાલથી લડવાનું બંધ. અમે આદિવાસીઓના હક માટે ચૂંટણી લડી રહ્યા છે. શક્ય હોય એટલી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવાર ઉભા રાખશે.'
2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.