ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા બસપા નેતા અરશદ રાણા રડવા લાગ્યા
અરશદ રાણા પોલીસ સ્ટેશનમાં જ રડી પડ્યા હતા
શમસુદ્દીન રૈન પર 67 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ
ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી
#WATCH उत्तर प्रदेश: BSP कार्यकर्ता अरशद राणा यह दावा करते हुए फूट-फूट कर रोने लगे कि आगामी चुनावों के लिए पार्टी की तरफ़ से उन्हें टिकट देने का वादा किया गया था। लेकिन उन्हें अंतिम समय में टिकट से वंचित कर दिया गया। (13.01) pic.twitter.com/HXYBsNG359
મામલો મુઝફ્ફરનગરના પોલીસ સ્ટેશન કોતવાલી વિસ્તારનો છે, જ્યાં ચરથાવલ વિધાનસભા ક્ષેત્રના બસપા પ્રભારી અરશદ રાણા ગુરુવારે મોડી સાંજે પોલીસ સ્ટેશન કોતવાલી પહોંચ્યા અને કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર આનંદ દેવ મિશ્રાને ફરિયાદ કરતાં જ રડવા લાગ્યા. .
શમશુદ્દીન રૈન પર ગંભીર આરોપો
અરશદ રાણા કહે છે, '18 ડિસેમ્બર, 2018ના રોજ, જિલ્લાની વિધાનસભા બેઠકોના પ્રભારીની નિમણૂક જિલ્લા કાર્યાલય, મુઝફ્ફરનગરમાં થવાની હતી. આના એક-બે દિવસ પહેલા BSPના પશ્ચિમી ઉત્તર પ્રદેશના પ્રભારી શમશુદ્દીન રૈને કહ્યું હતું કે તમને ચરથાવલ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડશે, જેના માટે મેં સંમતિ આપી હતી.
શમશુદ્દીન રૈને 67 લાખ રૂપિયા આપ્યા હતાઃ રાણા
અરશદ રાણાએ કહ્યું કે, 'વિધાનસભા સીટ માટે ઉમેદવારની નિમણૂક કરવા માટે 4 લાખ 50 હજાર રૂપિયા અને પછી 50 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. આ પછી 15-15 લાખના ત્રણ હપ્તા લેવામાં આવ્યા હતા. અરશદે આગળ કહ્યું, 'આ પછી પણ, સતપાલ કટારિયા અને નરેશ ગૌતમની હાજરીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી શમશુદ્દીન રૈને ધીમે ધીમે 17 લાખ રૂપિયા લીધા. ચરથાવલ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે તમારી નિમણૂંક કરવામાં આવી છે અને તમે તન-મનથી મહેનત કરો તેવો પૂરો વિશ્વાસ તેમણે આપ્યો હતો.
અરશદ રાણાએ આરોપ લગાવ્યો કે, 'હવે જ્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારે મેં બસપાના જિલ્લા અધ્યક્ષ સતીશ કુમારને ચરથાવલ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ટિકિટ માંગી તો તેમણે કહ્યું કે તમારે બીજા 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે, જેના માટે તેમણે હા કહ્યું પરંતુ આમ છતાં સલમાન સઈદને ચરથાવલ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી
બસપા નેતા અરશદ રાણાની ફરિયાદ પર ઈન્સ્પેક્ટર આનંદ દેવ મિશ્રાએ મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અરશદ રાણાએ કહ્યું કે જો ન્યાય નહીં મળે તો તે લખનૌમાં બસપા કાર્યાલયમાં જઈને આત્મહત્યા કરશે.