મહેસાણાના સોનેરીપુરા પાટિયા પાસે બ્રિજ નમી પડ્યો, રણજિત બિલ્ડકોનનો બ્રિજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો
મહેસાણા ઉંઝા પાસે નવનિર્મિત બ્રિજ નમી પડ્યો
રૂપેણ નદી પરનો નવનિર્મિત બ્રિજ નમી પડ્યો
સતત વિવાદાસ્પદ રણજિત બિલ્ડકોન કંપની પર કોના ચાર હાથ?
સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા દુર કરવા તથા લોકોને સુવિધા પુરી પાડવા ઠેર ઠેર બ્રિજ તથા રોડ રસ્તાની કામગીરી કરાઈ રહી છે. પરંતુ રાજ્યના કેટલાક સ્થળો પરથી નવનિર્મિત બ્રિજ કામગીરી નબળી થઈ રહી છે. તેના બોલતો પુરાવો વીટીવીને હાથ લાગ્યો છે. મહેસાણા ઊંઝા પાસે રૂપેણ નદી પર બની રહેલો બ્રિજ નમી પડતાં કંપનીની નબળી કામગીરી છતી થઈ છે.
રૂપેણ નદી પરનો નવનિર્મિત બ્રિજ નમી પડ્યો
મહેસાણાના સોનેરીપુરા પાટિયા પાસે રણજિત બિલ્ડકોન કંપની બ્રિજ બનાવી રહી છે. ત્યારે આજે નવનિર્મિત બ્રિજનો ભાગ નમી પડતાં ફરી આ કંપની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રણજિત બિલ્ડકોનનો બ્રિજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો નબળી કામગીરી છતાં પણ રણજિત બિલ્ડકોન કેમ ટેન્ડર અપાય છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. રાજકોટમાં પણ રણજીત બિલ્ડકોન વિવાદમાં આવી હતી. કંપનીના બ્રિજ બનાવવાનો રેકોર્ડ સાવ ખરાબ હોવા છતાં પણ કોના ચાર હાથ દ્વારા સતત કંપનીને લોકોના જીવ જોખમમાં મૂકે તેવુ કામ સોંપવામાં આવી રહ્યું છે તે તપાસનો વિષય છે.
શું બ્રિજની કામગીરી નબળી રહી હતી?
બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હતો?
નબળી કામગીરી કરતી કંપનીને શા માટે કોન્ટ્રાક્ટ અપાયો?
કાચું કામ પણ શું કોન્ટ્રાક્ટ લાગતી વળગતી કંપનીને અપાય છે?
મહેસાણામાં બ્રિજ ફરીવાર ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છે. મહેસાણા- ઉંઝા પાસે નવનિર્મિત બ્રિજ નમી પડ્યો છે. મહેસાણાના સોનેરીપુરા પાટીયા નજીક રૂપેણ નદી પર આવેલા આ નવનિર્મિત બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી નમી પડ્યો હોવાની ચર્ચા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની કામગીરી રણજિત બિલ્ડકોન કંપની પાસે છે. આ કંપની દ્વારા બનાવેલો અન્ય બ્રિજ પણ અગાઉ તુટી પડ્યો હતો. રણજિત બિલ્ડકોન દ્વારા બનાવેલા અમદાવાદના બોપલ રિંગ રોડ પર પણ બ્રિજ તુટી પડ્યો હતો. આ કંપની દ્વારા બ્રિજ બનાવવાનુ કામ કાચુ લોટ જેવુ કરવામાં આવે છે તેમ છતાં આ કંપનીને બ્રિજના ટેન્ડર વારંવાર આપવામાં આવી રહ્વા હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપને જણાવી દઈયે કે, અગાઉ મહેસાણા બાયપાસ હાઈવે પર બનાવેલો ઓવરબ્રિજ પણ ગેરન્ટી પીરીયડમાં જર્જરીત થઈ ગયો હતો.
રણજિત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બોપલ શાંતિપુરા બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો
આ પહેલા ગત વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર નિર્માણધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો સનાથલ સર્કલથી બોપલ સુધીના રોડ પર બ્રિજ બની રહ્યો છે...બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા એક ભાગ વચ્ચેથી ધરાશાયી થયો હતો.રણજિત બિલ્ડકોન લિમિટેડને કોન્ટ્રાક્ટ અપાયો હતો.ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અંદાજિત રૂપિયા 90 કરોડના ખર્ચે બ્રિજનું ટેન્ડર અપાયું હતું. બ્રિજ તૂટી જવાની ઘટના બાદ રણજિત બિલ્ડકોન લિમિટેડે પર સરકારે એક્શન પણ લીધા હતા.
સરકારની ગોઠવણ માં વારંવાર બ્રિજ તૂટે છે અને પેપર ફૂટે છે: મનિષ દોશી, કોંગ્રેસ પ્રવક્તા
મહેસાણા માં બ્રિજ નમી જવા અંગે કોંગ્રેસ સરકારે કોન્ટ્રાકટર મેળવનાર કંપની ના અન્ય કોન્ટ્રાક્ટની તપાસની માંગ કરી છે.. સાથે જ સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે સુરત, રાજકોટ અને અમદાવાદમાં બ્રિજ પડી ચુક્યા છે.અમદાવાદમાં ધરાસાઈ થયેલ બ્રિજ પણ રણજિત બિલ્ડકોન કંપની જ બનાવતી હતી.અમદાવાદની ઘટના બાદ સરકારે કોન્ટ્રાકટર કંપની સામે કાર્યવાહી કરી હોત તો મહેસાણાની ઘટના ના બની હોત. ભાજપ સરકારની મળતીયા કોન્ટ્રાકટરને કમાણી કરી આપવાની નીતિ છે.. ભાજપ સરકારની ગોઠવણ માં વારંવાર બ્રિજ અને પેપર તૂટે છે..કંપની અને ભાજપની ગોઠવણની અને રણજિત બિલ્ડકોન કંપનીના હાલ ચાલતા તમામ પ્રોજેકટની તપાસની કોંગ્રેસે માંગ કરી છે.
આપને જણાવી દઈએ કે, રણજિત બિલ્ડકોન કંપની પાસે વિકાસના અનેક પ્રોજેક્ટો છે.જેમાં બુલેટ ટ્રેન, મેટ્રો એલિવેટેડ કોરિડોર અને અમદાવાદ મ્યુનિ.ના ઓઢવ બ્રિજનો કોન્ટ્રાક્ટ પણ આ જ કંપની પાસે છે.ત્યારે અમદાવાદ બાદ ઊંઝામાં સામે આવેલી નબળી કામગીરી બાદ સવાલ એ છે કે કેમ તો પણ આ કંપનીને સરકાર અને તંત્ર બ્રિજ બનાવવાની કામગીરી હોંશે હોંશે સોંપી રહી છે?