કોરોનાના ઓમિક્રોન સહિત બીજા કેટલાક વેરિયન્ટની સામે કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ સૌથી વધારે અસરકારક હોવાનું ICMR સ્ટડીમાં સામે આવ્યું છે.
આવતીકાલથી દેશમાં કોરોના બૂસ્ટર ડોઝનો પ્રારંભ
બૂસ્ટર ડોઝમાં અપાવાની છે કોવેક્સિન
ICMR સ્ટડીનો મોટો ખુલાસો
ઓમિક્રોનની સામે કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ સૌથી વધારે કારગર
કોરોના રસી કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સહિતના બીજા વેરિયન્ટની સામે એકદમ અસરકારક છે. આઈસીએમઆર અને ભારત બાયોટેકના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અધ્યયનમાં બે-ડોઝના પ્રાથમિક રસીકરણના છ મહિના પછી કોવેક્સિનના બૂસ્ટર ડોઝમાં સારી એન્ડીબોડી વિકસિત થઈ હોવાનું જણાયું હતું.
51 લોકો પરના સ્ટડીમાં સામે આવ્યું તારણ
6 મહિના પહેલા કોવેક્સિનના બન્ને ડોઝ લેનાર 51 લોકોને આ વેક્સિનનો બૂસ્ટર ડોઝ અપાયો હતો. બૂસ્ટર ડોઝના 28 દિવસ બાદ તેમની પર થયેલી અસરનો સ્ટડી કરાયો હતો અને તેમાં સારી એન્ટીબોડી વિકસિત થઈ હોવાનું સામે આવ્યું હતું.
બી.1 અને વીઓસી- ડેલ્ટા, બીટા અને ઓમિક્રોન સામે જોવા મળી મજબૂત એન્ટીબોડી
એનઆઈવીના અન્ય એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.ગજાનન સકપાલે જણાવ્યું હતું કે બી.1 અને વીઓસી- ડેલ્ટા, બીટા અને ઓમિક્રોન વેરિઅન્ટ સામે બૂસ્ટર ડોઝના કારણે સારી એન્ટબોડીઝનો વિકાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે આ સૂચવે છે કે કોવેક્સિનના બૂસ્ટર ડોઝથી સાર્સ-કોવ -2 ના ઘણા પ્રકારો બેઅસર થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.પ્રજ્ઞા યાદવે જણાવ્યું હતું કે, "લગભગ 30 મ્યુટેશન સાથે ઓમિક્રોનના ઉદભવથી ચિંતા ઉભી થઈ છે કે રસી બિનઅસરકારક હોઈ શકે છે. આ ઉપરાંત અન્ય માન્ય રસીઓ માટે વાયરસના ઉભરતા પ્રકારો સામે એન્ટિબોડી પ્રતિસાદમાં ઘટાડો થવાના અહેવાલોએ પણ વિશ્વભરમાં ચિંતાની રેખા દોરી છે.
પ્રીકોક્શન એટલે કે બૂસ્ટર ડોઝ શું છે
રસીના વધારાના ડોઝને જ પ્રિકોક્શન અથવા બૂસ્ટર ડોઝ કહેવામાં આવે છે. તેને સાવચેતીનો ડોઝ પણ કહેવામાં આવી રહ્યો છે. આ ડોઝ કોરોના વાયરસ સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે.
10 તારીખથી શરુ થશે પ્રિ-કોશન ડોઝ
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને 10 તારીખથી શરૂ થઈ રહેલા પ્રી-વેક્સિનેશન ડોઝ વેક્સીનેશન વિશે વિસ્તારથી જાણકારી આપી છે.કેન્દ્રએ પત્રમાં કહ્યું છે કે, ખાનગી રસીકરણ કેન્દ્રો પર વેક્સીનની કિંમત સિવાય સર્વિસ ચાર્જ તરીકે 150 રૂપિયાથી વધુ ચાર્જ ન લઈ શકાય. જે લોકો 18 વર્ષના છે અને જેમણે કોરોના રસીનો બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા છે તેઓ પ્રિસ્ક્રિપ્શન ડોઝ મેળવી શકે છે. પ્રીકોક્શન ડોઝમાં, તે જ રસી આપવામાં આવશે જે પ્રથમ અને બીજા ડોઝમાં આપવામાં આવી હતી. એટલે કે જો કોઇએ કોવિશિલ્ડનો પહેલો અને બીજો ડોઝ લીધો હશે તો તેને કોવિશિલ્ડનો પ્રિકોક્શન ડોઝ આપવામાં આવશે અને જેણે પણ કોવેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લીધો હશે તેને કોવેક્સિનનો પ્રિકોકેશન ડોઝ આપવામાં આવશે.