બીએમસી રાણે પરિવારની કંપનીની અરજીને સ્વીકારી શકે નહીં: બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમના જુહુના બંગલા પર બે અઠવાડિયામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે BMCને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપતાં અવલોકન કર્યું કે, બંગલાના અમુક ભાગનું બાંધકામ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફ્લોર સ્પેસ ઈન્ડેક્સનું ઉલ્લંઘન કરે છે.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ આરડી ધાનુકા અને કમલ ખાટાની બેન્ચે કહ્યું કે, બીએમસી રાણે પરિવારની કંપનીની અરજીને સ્વીકારી શકે નહીં, જેમાં અનધિકૃત બાંધકામને મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, જો આને મંજૂરી મળી જશે તો મોટા પાયે ગેરકાયદે બાંધકામો શરૂ થઈ જશે. કોર્ટે BMCને બે અઠવાડિયામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં, એક સપ્તાહની અંદર કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ સબમિટ કરવાનો રહેશે. ખંડપીઠે રાણેને રૂ. 10 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને આગામી એક સપ્તાહમાં તેમની જુબાનીનો આદેશ આપ્યો હતો.
Bombay High Court directs BMC to demolish unauthorized construction at Narayan Rane's bungalow and also imposes a fine of Rs 10 lakhs: Petitioner's Advocate Aditya Pratap pic.twitter.com/3U3xv5UdAZ
મહત્વનું છે કે, કેસની સુનાવણી દરમ્યાન નારાયણ રાણેના વકીલે કોર્ટ પાસેથી તેમના આદેશ પર છ અઠવાડિયા માટે સ્ટે માંગ્યો હતો જેથી કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકાય. પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. હકીકતમાં, નારાયણ રાણેની કંપનીએ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે, બીએમસીએ બાંધકામને મંજૂરી આપવી જોઈએ. BMCએ આ વર્ષે જૂનમાં નારાયણ રાણે વતી પહેલી અરજી BMCને ગેરકાયદે બાંધકામની ગ્રાન્ટ માટે કરી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. આ પછી, તેમની કંપનીએ જુલાઈમાં બીજી અરજી કરી, પરંતુ તે પણ નકારી કાઢવામાં આવી. આના પર નારાયણ રાણેની કંપની હાઈકોર્ટમાં ગઈ હતી, પરંતુ ત્યાં પણ તેને ફટકો પડ્યો હતો.