વડોદરા શહેરમાથી શંકાસ્પદ હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માંજલપુરનાં સુબોધનગરમાંથી કિશોરની લાશ સાંપડી હતી.વિપુલ ગોઢકિયા નામનાં 14 વર્ષીય કિશોરનો કુતરાનાં બેલ્ટ સાથે લટકાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કિશોર જે ઘરમાં કામ કરતો હતો ત્યાંથી જ હાશ મળી આવતા બીજી મૃતકના પરિવારજનોએ મકાન માલિક પર હત્યાના આક્ષેપ કરતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેને લઈને ઘટનાને પગલે પોલીસે FSLની મદદથી કાર્યવાહી હાથ ધરી છે.
વિપુલ ગોઢકિયા નામનાં કિશોરનો મકાનમાથી મળ્યો મૃતદેહ
આ અંગે મૃતકના પરિવારજનો સમાજ અગ્રણીઓ દોડી ગયા હતા અને પરિવારજનોએ ઘરમાં તોડફોડ કરી કરી આરોપ લગાવ્યા હતા કે અમારા પુત્રની કૂતરાના બેલ્ટથી હત્યા કરવામાં આવી છે. પોલીસે લાશનો કબજો લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ઘટનાને પગલે પોલીસે FSLની મદદથી કાર્યવાહી હાથ ધરી
વધુમાં સમાજ અગ્રણી સંજય ઉઘરેજીયાએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી ત્રાસ આપવામાં આવ્યો હોવાની પણ ધગધગતી રાવ કરાઈ છે. જાણવા મળતી વિગત અનુસાર મૃતકના પિતાને કેન્સરની બીમારી છે. લોકડાઉનમાં ચાર લાખ રૂપિયાની સહાય કરી હતી જેના વળતર પેટે કિશોર અહીં કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમારા રૂપિયા બાકી છે, ત્યાં સુધી અહીં કામ કરવુ પડશે. તેવું કહીને માર મારતા હોવાનો પણ દાવો કરાયો છે. આ મામલે પોસ્ટપોર્ટમ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવશે.