ભારતીય નૌસેનાએ 12 દિવસના પરિશ્રમ પછી મિગ -29K વિમાન અકસ્માતમાં શિકાર થનાર નેવી કમાન્ડર નિશાંત સિંહના મૃતદેહને શોધી કાઢ્યો છે, નોંધનીય છે કે આ નેવી કમાન્ડર લગ્ન માટેની રજા માટે પત્ર લખીને ચર્ચામાં આવ્યા હતા.
26 નવેમ્બરે તૂટી પડ્યું હતું મિગ 29K
INS વિક્રમદિત્યથી ભરી હતી ઉડાન
ગોવાના કિનારા નજીકના વિસ્તારમાં સર્જાઇ હતી દુર્ઘટના
લગભગ 11 દિવસની મહેનત બાદ ભારતીય નૌકાદળ ને કમાન્ડર નિશાંત સિંહનો મૃતદેહ મળ્યો હતો. તેમનો મૃતદેહ ગોવાના દરિયાકાંઠેથી લગભગ 30 માઇલ દૂર સપાટીથી 70 મીટરની ઊંડાઈએથી મળી આવ્યો હતો. આ સર્ચ ઓપરેશનમાં નેવી એ રાત-દિવસ એક કરી શોધખોળ આદરી હતી. નૌસેના ના અદ્યતન સંસાધનોનો ઉપયોગ શોધ અને બચાવ માટે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કમાન્ડર નિશાંત સિંહ 26 નવેમ્બરથી તેના મિગ -29K વિમાન અરબી સમુદ્રમાં તૂટી પડતાં ગુમ થયા હતા, જ્યારે કે એક પાઇલટને બચાવી લેવામાં આવ્યા હતા.
અકસ્માત પછી દર કલાકની સાથે પાઈલોટનોપ જીવ બચાવવાની સંભાવના ઘટતી જાય છે
ડિફેન્સ એક્સપર્ટના જણાવ્યાનુસાર અકસ્માત પછી દરેક કલાકે પાઇલટને બચાવવો મુશ્કેલ બનતું જાય છે. પરંતુ આ સાથે સંકળાયેલા મુખ્ય જોખમો છે કે સામાન્ય રીતે, આવા ઓપરેશન્સ કે જે શરૂઆતમાં સર્ચ અને બચાવ કામગીરી છે અને માત્ર એક અઠવાડિયા પછી સર્ચ કામગીરીમાં ફેરવાય છે. તે વ્યક્તિ આગામી સાત વર્ષો સુધી ગુમ થયેલ હોવાનું માનવામાં આવે છે અને તે પછી તે વ્યક્તિ ઔપચારિકતાઓ સાથે મૃત ગણાતી હોય છે.
નૌસેનાએ બધી તાકાત લગાવી દીધી હતી
કમાન્ડર નિશાંતને શોધી કાઢવા માટે નૌકા જહાજો અને વિમાનોની વ્યાપક તૈનાતી કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશનમાં તૂટી પડેલા વિમાનનું લેન્ડિંગ ગિઅર, ટર્બોચાર્જર, ફ્યુઅલ ટેન્ક એન્જિન અને વિંગ એન્જિન ગૌલિંગ સહિતના વિમાનના અવશેષો મળ્યા હતા. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, સર્ચિન્ગમાં રોકાયેલા નવ યુદ્ધ જહાજો અને 14 વિમાન ઉપરાંત, ઝડપી સંશોધન માટે પણ નેવીના જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.