14 વર્ષીય જીગર રાગી ખેતતલાવડીમાં પડી જવાથી મોત થયું હતું, પિતાને લાગ્યું કે, દીકરાનું તળાવમાં પડીને મોત થયું નથી, 50 દિવસ પછી બહાર કાઢ્યો મૃતદેહ
14 વર્ષીય જીગરના દફન કરેલા મૃતદેહને બહાર કઢાયો
ધાનેરાના એટા ગામે 50 દિવસ બાદ ફરી મૃતદેહ બહાર કાઢ્યો
હત્યાની આશંકાએ PM માટે ફરી મોકલાશે મૃતદેહ
ધાનેરાના એટા ગામે હત્યાની આશંકાએ 14 વર્ષીય જીગરના દફન કરેલા મૃતદેહને ધાનેરા મામલતદારની હાજરીમાં બહાર કાઢી પી.એમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
ધાનેરાના એટા ગામે 14 વર્ષીય જીગરનું અંદાજે 50 દિવસ પહેલા ખેતતલાવડીમાં પડવાથી મોત થયું હતું. જેની દફનવિધિ પણ થઈ ગઈ હતી. પરંતુ પિતા આયદાનભાઈને સમગ્ર મામલે શંકા જતાં ફરી પી.એમની માગ કરી હતી. જે બાદ ધાનેરા મામલતદાર પોલીસ અને ડૉકટરની ટીમ સાથે દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢવાની ફરજ પડી હતી.
14 વર્ષીય જીગર રાગી ખેતતલાવડીમાં પડી જવાથી મોત થયું હતું. પણ પિતાએ સ્થળ પર જઈને જોતા તેમને લાગ્યું કે, તેમનો દીકરાનું તળાવમાં પડીને મોત થયું નથી. તેને મારીને ફેંકી દેવાયો છે. કારણ કે, જે તળાવની જગ્યા હતી. તેની આજુબાજુ ઝટકા મશીન લગાવવામાં આવ્યા હતા. અને ત્યાં ઊંચું પાળ પણ બાંધવામાં આવ્યું હતું. ત્યારે મૃતક યુવકના પરિવારજનોને શંકા જતાં ધાનેરા પોલીસમાં ફરિયાદ કરી હતી.