છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ અને આપઘાતની ઘટનાઓ રાજ્યમાં છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ફરી એકવખત અનૈતિક સબંધોએ એક પરિવારના દાંમ્પત્યજીવનને વિખેરી દીધું હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી હતી.
રાજ્યમાં વધી રહી છે ઘરકંકાસની ઘટના
અમદાવાદમાં આજે 2 મહિલાઓએ કર્યા આપઘાત
મળતી જાણકારી પ્રમાણે,પતિના અનૈતિક સબંધથી કંટાળીને ગર્ભવતી મહિલાએ એક વર્ષના દીકરા સાથે નદીમાં ઝપલાવી મોતને વહાલું કર્યું છે. પોલીસે પતિ વિરુદ્ધ દૂષ્પેરણનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
પતિના અનૈતિક સંબંધોની પત્નીને થઇ જાણ
ઘટનાની વાત કરીએ તો શાહપુરમાં પતિની બેવફાઈથી કંટાળીને ગર્ભવતી પત્નીએ એક વર્ષના દીકરા સાથે સાબરમતી નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો. સુનિતા દંતાણી નામની મહિલાને પોતાના પતિ દિપકનું અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધની જાણ થઈ. બન્ને પતિ પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો હતો.
ગર્ભવતી મહિલાએ 1 વર્ષના બાળક સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું
જેથી ગર્ભવતી સુનિતાને એક વર્ષના દીકરા અંશુ સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. સુનિતાને મનમાં લાગી આવતા શહેરના રીવરફ્રન્ટ નજીક નદીમાં પોતાના દીકરા સાથે નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો. ફાયર બ્રિગેડની ટીમે માતા પુત્રનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને રિવરફ્રન્ટ પોલીસે પતિ દિપક વિરુદ્ધ દુસ્પેરણનો ગુનો નોંધી ધરપકડ કરી.
ઈસનપુર વિસ્તારમાં માતાએ પુત્રીની હત્યા કરીને કર્યો આપઘાત
તો આ તરફ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ઘર કંકાસમા માતા બની હત્યારી. માતાએ પોતાની જ દોઢ વર્ષની બાળકીની હત્યા કરી પોતે પણ મોતને વ્હાલુ કર્યુ છે. માતાએ પહેલા દિકરીને ગળેફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
જો કે બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી હતી...સાથે સાથે સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.