એક્સટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાં સમાવવા કે નહી તે અંગે મૂંઝવણ સરકાર વિચારણા કરી રહી છે અને શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા ચર્ચાનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.
એક્સટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાં ક્યારે ?
ધોરણ 10માં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ
ધોરણ 12 કોમર્સમાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ
ધોરણ 10માં પરીક્ષા દર કરી પ્રથમવાર બોર્ડે માસ પ્રમોશન આપ્યું જેને લઈ ધો.10ના એક્સટર્નલ વિદ્યાર્થીઓ મુદ્દે શિક્ષણ બોર્ડ મૂંઝવણમાં મુકાયું છે. સરકારના ઉતાવળિયા નિર્ણયથી પરિણામ અને ધોરણ 11ના પ્રવેશ તેમજ ડિપ્લોમાં પ્રવેશમાં મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
ધોરણ 11ના પ્રવેશ તેમજ ડિપ્લોમાં પ્રવેશમાં મોટી મુશ્કેલી
માસ પ્રમોશન મળતા હવે ધોરણ 11માં પ્રવેશ માટે ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા 60થી વધારીને 90 કરવી પડશે તેમજ વિદ્યાર્થીઓની 14 કરોડ જેટી પરીક્ષા પરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે સૌથી મોટો મુદ્દો માસ પ્રમોશન મેળવનાર એક્ટર્નલ વિદ્યાર્થીઓનો છે જેમાં 50 હજારથી વધુ એક્સર્નલ અને 3.25 લાખ રીપિટર વિદ્યાર્થીઓને લઈને સરકાર મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાં સમાવવા કે નહી તે અંગે મૂંઝવણ
હાલ તો એક્સટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાં સમાવવા કે નહી તે અંગે મૂંઝવણ સરકાર વિચારણા કરી રહી છે અને શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા ચર્ચાનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. એવું પણ મનાઈ રહ્યું છે કે એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં પરીક્ષાની જાહેરાત પણ થઈ શકે છે ધો.10માં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા જ્યારે ધો.12 કોમર્સમાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા ત્યારે હવે સરકાર આ વિદ્યાર્થીઓને લઈને કેવો નિર્ણય કરે છે તે હવે જોવાનું રહ્યું ?
હવે નહી લખાય એલ.સીમાં માસ પ્રમોશન
મહત્વનું છે કે કોરોનાને પગલે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે રેગ્યુલર 8 લાખ 37 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. ધોરણ 10માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે. ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય બદલ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સીમાં હવે માસ પ્રમોશનને બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ એવું લખવામા આવનાર છે પરતું હવે એક્સટર્નલ અને રીપિટર વિદ્યાર્થીઓને લઈને સવાલ થઈ રહ્યો છે આ લોકોને લઈ સરકાર કેવો નિર્ણય કરે છે. તે તો આગામી સમયમાં જ ખબર પડશે.