મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર જિલ્લાની આ બેઠક ભારે ચર્ચામાં રહે છે. તેનું કારણ છે ગુજરાતના બે મોટા નેતાઓ વચ્ચેની રાજકીય લડાઈ
પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાનો વિજય
છેલ્લે બે વખત હારેલા અર્જુન મોઢવાડીયાની 2022માં જીત
અગાઉની ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ માત્ર 1,855 મતોથી જીત્યા હતા
પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડીયાનો વિજય થયો છે. બે વાર પોરબંદરથી હાર્યા બાદ આ વખતે અર્જુનભાઈનો વિજય થયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર જિલ્લાની આ બેઠક ભારે ચર્ચામાં રહે છે. તેનું કારણ છે ગુજરાતના બે મોટા નેતાઓ વચ્ચેની રાજકીય લડાઈ. 2017ની ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ બોખીરિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને હરાવ્યા હતા. જેમાં અર્જુન મોઢવાડીયાની જીત થઈ છે.
મોઢવાડિયાનો સતત બીજી વખત પરાજય થયો હતો. આ વખતે ફરી બંને નેતાઓ ચૂંટણી જંગમાં આમને-સામને હતા. અગાઉની ચૂંટણીમાં બાબુભાઈ માત્ર 1,855 મતોથી જીત્યા હતા. જ્યારે મોઢવાડીયા 2002માં તેમની સામે જીત્યા હતા. આ બેઠક પર પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, આ બેઠક પર આમ આદમી પાર્ટીએ જીવન જુંગીને મેદાનમાં ઉતાર્યા હતા.
ગત વખતે બાજી મારી ગયું હતું ભાજપ
પોરબંદર બેઠક પર મોટા ભાગે પાટીદારો અને ખારવા સમાજના મતદારોનું આગવું પ્રતિનિધિત્વ છે. તેથી આ બંને સમાજને સાથે રાખી અહીં ચૂંટણી જંગ ખેલવો દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર 9 ડિસેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. આ બેઠક માટે ભાજપે બાબુ બોખરિયાને મેદાને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે અર્જુન મોઢવાડિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર 64.34 ટકા મતદાન થયું હતું. જેમાંથી ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાને 47.03 % મત એટલે કે 72,430 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 70,575 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બોખરિયા 1855 મતે વિજેતા થયા હતા.
2002 અને 2007માં જીત્યા હતા અર્જુન મોઢવાડિયા
વર્ષ 2012માં પણ બાબુભાઇ બોખિરિયાએ બાજી મારી લીધી હતી. જ્યારે મોઢવાડીયા 2002માં તેમની સામે જીત્યા હતા. તેમજ 2007માં ભાજપ તરફથી મહિલા ઉમેદવાર શાંતાબેન ઓડેદરાને ઉતારવામાં આવ્યા હતા, 2007માં પણ અર્જુન મોઢવાડીયા જીત્યા હતા.
પોરબંદર બેઠક પર મતદારો
કુલ મતદારો - 265280
પુરુષ - 135175
મહિલા - 130099
અન્ય - 6
કોણ છે અર્જુન મોઢવાડીયા ?
અર્જુન મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદર નજીકના ગામ મોઢવાડા ખાતે થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં થયું હતું. તેમણે મોરબીની લુખ્ધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. તેઓ 1982 થી 2002 માં રજીસ્ટર્ડ સ્નાતક મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય બન્યા. 1988 માં તેઓ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય પણ બન્યા. તેમણે 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું. તેમણે 1993માં નોકરી છોડી દીધી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમના લગ્ન હીરાબેન સાથે થયા છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
તેઓ 1997માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. 2002માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા 2002માં તેઓ ગુજરાત (સંસદીય અને વિધાનસભા મતવિસ્તારો) માટે ભારતના સીમાંકન આયોગના સભ્ય બન્યા. તેમને અંદાજ સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા. તેઓ 2007માં ફરી ચૂંટાયા હતા અને 2008-2009 સુધી તેઓ મીડિયા સમિતિના અધ્યક્ષ અને GPCCના મુખ્ય પ્રવક્તા પણ હતા. 2 માર્ચ 2011ના રોજ, તેમની GPCCના 27મા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. હાર બાદ 20 ડિસેમ્બર 2012ના રોજ તેમણે GPCCના પ્રમુખ પદેથી રાજીનામું પણ આપી દીધું હતું. તેઓ ફરીથી 2017માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે હારી ગયા હતા.
કોણ છે બાબુ બોખરીયા
B.Sc કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયા કેશુભાઈ પટેલની સરકારથી લઈને મોદી સરકાર સુધી મંત્રી પદે રહ્યા છે.
2013માં ગેરકાયદે લાઇમસ્ટોનના ખનન માટે બાબુ બોખિરિયા ત્રણ વર્ષની જેલ પણ સંભળાવવામાં આવી હતી. પરંતુ 2014માં તેઓને નિર્દોષ જાહેર થયા હતા.
તેઓ 1995માં ભાજપની ટિકિટ પર પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભાજપે 1998માં તેમને ફરી ટિકિટ આપી હતી, જેમાં તમની જીત થઈ હતી. તો 2002માં અર્જુન મોઢવાડિયા સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને જીત્યા હતા.