વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જનતાના વિવિધ મુદ્દાઓને લઈને પ્રત્રકારો સાથે વાતચીત કરી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું કે વિવિધ તબક્કે લોકોની માગણીઓને લઈને જન આંદોલનો થઈ રહ્યા છે. રાજ્યની આ રૂપાણી સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવળી છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજની પડતર માગણીઓને સ્વિકારતા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પણ અનામત માટે ગૃહમાં ખાનગી મેમ્બર બિલથી નીતિ સ્પષ્ટ કરી છે.
એટલું જ નહીં બંધારણમાં પણ સમયાંતરે તબક્કાવાર સુધારા કર્યા છે પરંતુ રાજ્યની ભાજપા સરકાર લોકોની ભાવનાઓ સાથે રમી રહી છે. આ સાથે જ ધાનાણીએ CBI વિવાદ મુદ્દે મગફળીની ખરીદી. આ ઉપરાંત ધણાણીએ જણાવ્યું કે સત્તામાં બેઠેલા લોકો સરકારની તિજોરી લૂંટાવી રહ્યાં છે એ સ્પષ્ટ છે.
CBIની SCમાં ચાલી રહેલી તપાસમાં મંત્રી હરિભાઇ ચૌધરી સામે આક્ષેપ થયા છે. એવુ પણ ધાનાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે હરિભાઇ ચૌધરીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઇએ. ધાનાણીએ ભાજપા પર પ્રહાર કરતાં કહ્યું કે રામ રાજ્યની કલ્પના કરતા ભાજપના ચોકીદાર પોતે જ ચોર છે ભાજપના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યાં છે મુખ્યમંત્રીએ સ્વીકાર્યુ કે ગતવર્ષે મગફળી ખરીદીમાં ગોટાળા થયા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સીટિંગ જજની અધ્યક્ષતામાં મગફળીકાંડની તપાસ થવી જોઇએ. રાફેલ વિશે વાત કરતાં ધાનાણીએ કહ્યું કે રફેલ ડીલમાં 30 હજાર કરોડ રુપિયા મુઠ્ઠીભર લોકોને આપી દેવાયા. યુપીએ સરકાર સામે લગાવેલા એક પણ આરોપ સિદ્ધ થયા નથી કોંગ્રેસે ક્યારેય પણ ભ્રષ્ટાચારને દબાવવાનો પ્રયાસ કર્યો નથી. નાફેડે શા માટે ગુજરાત સરકારથી અંતર જાળવ્યું?સરકાર દોષીઓને બચાવી રહી છે તેમ ધાનાણીએ જણાવ્યું હતું.