ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં ગુજરાતના 16 ઉમેવારોના નામ જાહેર થયા છે. જેમાં સુરેન્દ્રનગરની બેઠક પરથી દેવજી ફતેપરાનું પત્તું કપાયું છે અને તેના સ્થાને મહેન્દ્ર મુજપરાને ટિકિટ અપાઈ છે. જેને લઈને દેવજી ફતેપરા મોવડી મંડળથી નારાજ છે અને વીટીવી સાથે વાત કરતા એવું પણ કર્યું કે, આવતીકાલે મારા સમાજ સાથે બેઠક કરીશ અને સમાજ કહેશે તો પક્ષ છોડ઼ી દઈશ.
તમને જણાવીએ કે, ગુજરાત ભાજપે પોતાનાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી 14 સાંસદનો ફરી એક વાર કિસ્મત અજમાવવાનો મોકો ભાજપે આપ્યો છે. એટલે 14 સાંસદોને પોતાની બેઠક પરથી જ રીપિટ કરાયાં છે.
એટલે કે, આ તમામ સાંસદો પર ભાજપે ફરી એક વાર ભરોસો મુક્યો છે. પરંતુ બે સાંસદોનાં પત્તા કપાયાં પણ છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક પરથી દવજી ફતેપરાની જગ્યાએ મહેન્દ્ર મુંજપરા અને ગાંધીનગર બેઠક પરથી એલ.કે.અડવાણીની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડશે.
જો કે હજુ ગુજરાતની હજુ 10 બેઠકો પર ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ 10 સીટો એવી છે જ્યાં ભાજપને ફટકો પડી શકે છે. ત્યારે જોવું તો એ રહેશે કે, આ બેઠકો પર ભાજપ કોનાં નામ પર મહોર લગાવે છે. બીજી બાજુ સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા-ચૂંટણીનાં 3 ઉમેદવારોનાં નામ પણ જાહેર કર્યા હતાં.