કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. આ મામલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ દેવજી ફતેપરાએ પ્રતિક્રિયા આપી છે કે આગામી દિવસોમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાશે. કોંગ્રેસના નેતૃત્વ પર જનતાને વિશ્વાસ નથી.
વરૂણ પટેલની પ્રતિક્રિયા
ઉંઝાના ધારાસભ્ય આશાબેને પટેલે પક્ષમાંથી રાજીનામુ આપ્યુ છે.. ત્યારે હવે આ મામલે ભાજપના નેતા વરૂણ પટેલે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસનુ નબળુ નેતૃત્વ સાબિત થયુ છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યો નેતાઓને સ્વીકારી શકતી નથી. જેના કારણે ધારાસભ્યો નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી રહ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે આગામી દિવસોમાં કોંગ્રેસ દિશા અને નેતા વિહિન થવા જઈ રહી છે.
લલિત વસોયાનું નિવેદન
ઉંઝાના ધારાસભ્ય આશાબેને પક્ષમાંથી રાજીનામુ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યુ છે કે છેલ્લા ઘણા સમયથી આશાબેન પટેલ નારાજ હતા. આ મામલે ગુરૂવારે આશાબેન સાથે ચર્ચા પણ થઈ હતી.
સંગઠનને લઈને આશાબેન અસંતોષ હતો. જેના કારણે કોંગ્રેસ દ્વારા તેમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. આશાબેને આજે એકાએક રાજીનામુ આપ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ કે આશાબેને મતદારો સાથે દ્રોહ કર્યો છે.. આગામી ચૂંટણીમાં ઉંઝાના મતદારો આશાબેનને જકારો આપશે.
ઉંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકારી લીધું છે.
આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આશા પટેલે રાજીનામું આપતાં વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 76 થઈ ગયું છે. આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
જોકે ઊંઝામાં APMCની ચૂંટણી પહેલા આશાબહેને રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી મુજબ પક્ષમાં સતત આશા પટેલની અવગણના કરવામાં આવી રહી હતી. જેથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને રાજીનામા પાછળ આ કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સાથે જ હજી કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો પણ પક્ષથી નારાજ હોવાની અટકળો વહેતી થઇ છે ત્યારે સૂત્રોનું માનીએ તો આગામી સમયમાં અન્ય ધારાસભ્યો પણ પક્ષને અલવિદા કરીને કેરસરિયો ધારણ કરી છે.જેની યાદી નીચે મુજબ છે.