સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે અમારી સરકારે આ અંગે કોઈ પણ જવાબ આપ્યો નથી, કે હા અમે પણ ત્યાંને તમારા ઘરે મોકલવા માટે તૈયાર છીએ. સીધી રીતે અથવા કોઈ અન્ય રીતે કહી શકાતું હતું કે જેવી તમારી ઈચ્છા ?''
સુબ્રમણ્યમ સ્વામી એ કરી પોતાની જ સરકારની ટીકા
તેમણે કહ્યું, ચીની પ્રમુખ તેની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહે છે"
ભારતમાંથી કેમ કોઈ પણ જવાબ આપી રહ્યું નથી , હું આશ્ચર્યમાં છું: સ્વામી
ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં LAC પર મોટી સંખ્યામાં તૈનાત ચીની સૈનિકોની હાજરી હાલમાં ભારતની સામે એક મોટો પડકાર છે"
China’s Supremo Xi Jingping has openly declared to Chinese troops in LAC-- inside&across : "Be ready for war”. It is surprising that no one from our government has replied: “Yes, we are waiting to send you home—horizontally or vertically—choice is yours”?
LAC પર વધી રહેલા તણાવની વચ્ચે ભાજપ ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી એ એક ટ્વિટ કરીને પોતાની જ સરકારની ટીકા કરી હતી, તેમણે કહ્યું હતું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપી ચૂક્યા છે, ત્યારે આ મુદ્દે ભારત તરફથી કોઈ જ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં આવી નથી. જેને લઈને "હું ઘણો આશ્ચર્યચકિત છું".
સ્વામી એ ટ્વિટ કર્યું હતું કે "ચીનના સુપ્રીમો સાર્વજનિક રીતે સરહદ પર તૈનાત પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહી ચૂક્યા છે ત્યારે ભારત તરફથી કોઈ જવાબ આપી રહ્યું નથી કે હા અમે પણ તમને તમારા ઘરે પહોંચાડવા માટે તૈયાર છીએ, સીધી કે આડી કોઈ પણ રીતે જેવી તમારી ઈચ્છા હો?"
ચીની અખબારમાં આવી હતી એક રીપોર્ટ
જો કે હાલમાં જ ગુઆંગડોંગમાં એક સૈન્ય બેઝ પર જિનપીંગે તેના સૈનિકોને તૈયાર રહેવા માટે કહ્યું હતું. 'SOUTH CHINA' ની એક રીપોર્ટમાં તેમના નિવેદનના આધારે કહેવામાં આવ્યું હતું કે ચીની સેનાએ તેનું સમગ્ર ધ્યાન યુદ્ધ પર જ કેન્દ્રિત કરવું જોઈએ. ટ્રેનીંગમાં યુદ્ધાભ્યાસ પર વિશેષ બાહર આપવું જોઈએ
.
LAC પર ખૂબ જ ગંભીર સુરક્ષા પડકારો ઉદભવ્યા છે: વિદેશ મંત્રી જયશંકરે શુક્રવારે એવું કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં LAC પર મોટી સંખ્યામાં તૈનાત ચીની સૈનિકો હાલમાં સૌથી ગંભીર બાબત બની રહ્યા છે, એશિયા સોસાઇટીએ આયોજિત કરેલ એક ઓનલાઈન કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે જૂનમાં લદ્દાખ સેક્ટરમાં ભારત ચીન સીમા પર જે હિંસાત્મક કાર્યવાહી થઈ હતી તેના ઘણા પ્રભાવો પડ્યા છે અને જેને લઈને બંને દેશોના સંબંધોમાં ગંભીર ઉથલ પાથલ ની સ્થિતિ બની છે.
ભાજપ પ્રમુખે કહ્યું," સેના ડ્રેગનની સામે ટટ્ટાર ઉભી છે "
જો એક એક બાજુ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ કહ્યું હતું કે હાલમાં ભારત નું લશ્કર ચીન ની સામે ખુમારીપૂર્વક ટટ્ટાર ઉભું છે અને પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું છેલ્લા 6 વર્ષોમાં મોદી સરકારેં અરુણાચલ પ્રદેશથી લઈને લદ્દાખ સુધી ૪૭૦૦ કિમી લાંબી સડક બનાવી દીધી છે જેથી આપણી સેના ત્યાં લડવા માટે તૈયાર છે