હુ પ્રજાનો સેવક છું, ગુલામ નહીં, મારે સોશિયલ મીડિયામાં હજારો મેસેજ આવે છે,કોર્પોરેટરો મરી ગયા છે, ચાર-ચાર કોર્પોરેટરો ફરિયાદ તો સાંભળે જ છે ને ?
સ્થાનિક વિસ્તારની સમસ્યાઓને લઈ ધારાસભ્યએ શું કહ્યું ?
હુ પ્રજાનો સેવક છું, ગુલામ નહીં, મારે સોશિયલ મીડિયામાં હજારો મેસેજ આવે છે : MLA
કોર્પોરેટરો મરી ગયા છે, ચાર-ચાર કોર્પોરેટરો ફરિયાદ તો સાંભળે જ છે ને ?
નરોડા વિસ્તારના બલરામ થવાણી અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે, બલકે એમને ચર્ચામાં રહેવું ગમતું હોય છે એટલે પ્રજાના પ્રશ્નોને નજર અંદાજ કરી પોતે લાઈમ લાઈટમાં આવતા હોય છે. આ વખતે બલરામ થવાણી સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ મુદ્દે સામે આવ્યા છે,
પ્રજાનો સેવાક છું, ગુલામ થોડી છું
સ્થાનિક આગેવાન જીગર મહારાજે બલરામ થવાણી પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પ્રજાના પ્રશ્નો સાંભળવાને બદલે પ્રજાનો સેવાક છું, ગુલામ થોડી છું તેવું જણાવે છે, મહત્વનું છે કે જીગર મહારાજ દ્વારા સ્થાનિક પ્રશ્નોને લઈ બલરામ થવાણીના સોશિયલ મીડિયા પેજ પર ફરિયાદ કરવામાં આવી તો જીગરને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દેવામાં આવ્યો.
એ મારું કામ નથી. મને ખબર જ નથી
એટલું જ નહી સ્થાનિક આગેવાના જીગર મહારાજે નરોડા વિસ્તારની સ્થઆતિ જણાવવા માટે MLA બલરામ થવાણીને ફોન કર્યો તો બલરામ થાવાણી કહે છે કે એ મારું કામ નથી. મને ખબર જ નથી.જીગર મહારાજે સવાલ કર્યો તમે કેટલી વાર નરોડામાં આવ્યા.ત્યારે બલરામ થાવાણીએ જવાબમાં કહ્યું કે, કોર્પોરેટર મરી ગયા છે? ચાર ચાર કોર્પોરેટર છે તેમને ફરિયાદ કરો.
કાઉન્સિલરો કામ તો કરે જ છે ને?
મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાની અને ભારે વરસાદને કારણે નરોડામાં પ્રસૃતિ ગૃહ સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારમાં ભૂવા પણ પડ્યા હતા તેમ છતા નરોડાના 4-4 કાઉન્સિલરો હોવા છતા ફરિયાદ ન સાંભળતા હોવાનું બલરામ થવાણીને ફોન કરવામાં આવ્યો જેમાં બલરામ થવાણી કહે છે કાઉન્સિલરો કામ તો કરે જ છે ને? ક્યારે ફરિયાદ કરી હતી? ક્યાં કાઉન્સિલરને ફરિયાદ કરી હતી?
આવો સવારે વાત કરીએ
સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરો ફરિયાદ ન સાંભળતા હોવાની રજૂઆત કરી તો ધારાસભ્ય બલરામ થવાણી ગુસ્સે ભરાઈ ગયા હતા અને સ્થાનિકોને માપમાં રહેવાની ધમકી આપ ગર્ભિત ધમકી આપી હતી અને આવો સવારે વાત કરીએ તેવું જણાવ્યું હતું.ચૂંટણી આવે ત્યારે આ ધારાસભ્યો હાથ જોડીને પ્રજા પાસે મત માંગવા આવી જતા હોય છે પરતું સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની વાત આવે ત્યારે આંખ આડા કાન કરતા હાયો છે પ્રજાના પ્રશ્નોને ધ્યાને પણ લેતા નથી, નરોડા ધારાસભ્યએ સ્થાનિકોના પ્રશ્નોને ન સાંભળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.