ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ યુપીની મુલાકાતે છે. ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી રાધા મોહન સિંહે મંત્રીઓ સાથે બેઠક કરી.
યુપીમાં 2022માં વિધાનસભા ચૂંટણી આવવાની છે
2017 જેવું પ્રદર્શન ફરી કરવા માંગે છે ભાજપ
રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષનો રાજ્ય દોરો મહત્વનો માનવામાં આવે છે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચમાં થવા જઈ રહી છે. રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બરમાં આચાર સહિતા લાગુ થઈ જશે. એવામાં કામ કરવા માટે યોગી સરકાર પાસે ફક્ત 6- મહિનાનો સમય છે. યોગી સરકારના કેબિનેટમાં ફેરફારની ચર્ચા પણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી થવામાં ખૂબ ઓછો સમય બાકી છે. એવામાં કેબિનેટમાં ફેરફાર અથવા વિસ્તારની સંભાવના ખૂબ ઓછી છે. હકીકતે આગામી ચૂંટણીને જોતા ભાજપ પોતાના સંગઠનને મજબૂત બનાવવા માંગે છે.
ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા માંગે છે ભાજપ
CM યોગીએ જણાવ્યા અનુસાર કેન્દ્રીય સંગઠન મંત્રીની સાથે 7 મંત્રીઓની મુલાકાત થઈ અને બાકીના દરેક મંત્રીઓની સાથે મંગળવારે વન ટૂ વન મુલાકાત થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીએલ સંતોષ આજે ડિપ્ટી CM કેશવ પ્રસાદ મોર્યા સાથે વાત કરશે. ત્યાર બાદ CM દિનેશ શર્મા સાથે અને સ્વામી પ્રસાદ મોર્યા સાથે પણ વાત કરશે.
મંત્રીઓ સાથે કરી રાષ્ટ્રીય મહામંત્રીની બેઠક
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષની મુલાકાત પણ તેની સાથે જોડાયેલી છે. જાણકારી અનુસાર બીએલ સંતોષ અને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી રાધા મોહન સિંહની મંગળવારે મંત્રીઓ સાથે વન ટૂ વન બેઠક થઈ. આ બેઠકમાં યૂપી ભાજપના સહ પ્રભારી સંજીવ ચોરસિયા અને યુપીના પ્રદેશ મહામંત્રી સુનીલ બેસલ પણ સામેલ થયા. ગયા ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદી બેન પટેલ સાથે મુલાકાત કરી. રાજભવનમાં થયેલી આ મુલાકાત બાદ યુપી મંત્રિમંડળમાં ફેરબદલ અને વિસ્તારની ચર્ચા અને અટકળોએ જોર પકડ્યું છે.
સંગઠનમાં ફેરફાર કરી શકે છે ભાજપ
ચર્ચા એવી પણ કરવામાં આવી રહી છે કે ચૂંટણીમાં ગયા પહેલા અને તેની તૈયારી કરવા માટે ભાજપ સંગઠનમાં ફેરફાર થઈ શકે છે. સંગઠનમાં નવા લોકોને જવાબદારી મળી શકે છે. જણાવવામાં એવું પણ આવી રહ્યું છે કે સંતોષ અને રાધા મોહન સિંહ પાર્ટી ધારાસભ્યોને મળવા ફિડબેકની જાણકારી દિલ્હીમાં હાઈ કામન્ડને આપશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાર બાદ કેબિનેટ વિસ્તાર અને પાર્ટી સંગઠનમાં બદલાવ વિષે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.