બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. એવી સંભાવના છે કે તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવીને તેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે.
બિહારની એક સીટ પર યોજાઇ હતી ચૂંટણી
રાજ્યસભા સાસંદ રામવિલાસ પાસવાનના નિધનથી ખાલી થઈ હતી બેઠક
ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના દિવસે બિનહરીફ થયા સુશીલ મોદી
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી ને રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. કેન્દ્રીય પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટી LJP ના સ્થાપક રામ વિલાસ પાસવાનના નિધન બાદ ખાલી પડેલી બેઠક ભાજપે LJP ને ન આપતા પોતે જ ચૂંટણી લડાનું નક્કી કર્યું હતું અને સુશીલ મોદી ને ટિકિટ આપી હતી. બિહારની આ એક બેઠક પર સુશીલ મોદી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.
राज्यसभा के लिए निर्विरोध चुने जाने पर प्रमंडलीय आयुक्त से निर्वाचन प्रमाणपत्र प्राप्त करते pic.twitter.com/3kf03ptuTR
સુશીલ મોદી સિવાય અપક્ષ ઉમેદવાર શ્યામ નંદન પ્રસાદે ઉમેદવારી પત્ર ભર્યું હતું જે તપાસ દરમિયાન નામંજૂર કરાયું હતું. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રસાદને પ્રસ્તાવક તરીકે 243 સભ્યોની વિધાનસભાના ઓછામાં ઓછા 10 સભ્યોનો ટેકો નથી, જે ફરજિયાત છે.
સુશીલ મોદી ને મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેના પછી સુશીલ મોદી એ વિજયનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને NDA ના હાજર રહેલા નેતાઓના અભિનંદન સ્વીકારતા ટ્વિટ પણ કરી હતી. આ જીત સાથે એક રેકોર્ડ પણ બન્યો હતો કે સુશીલ કુમાર મોદી રાજ્યના બંને સભાગૃહ અને સંસદના બંને સભાગૃહના સભ્ય બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
राज्यसभा के लिए निर्विरोध चुने जाने के पश्चात NDA के वरिष्ठ नेतागण के साथ बधाई ग्रहण करते हुए। pic.twitter.com/fgLX5pLMYK
એવું માનવામાં આવે છે કે મોદી સરકારના સંભવિત કેબિનેટ વિસ્તરણમાં સુશીલ મોદી ને તક મળી શકે છે. બિહારના રાજકારણ સાથે સંકળાયેલા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, સુશીલ કુમાર મોદી બિહારમાં ભાજપના એક મોટા ચહેરા તરીકે જાણીતા છે. જો તે આ વખતે નાયબ મુખ્યમંત્રી નહીં બને, તો એક સારી ગોઠવણ કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં રાજ્યસભામાં તેમને પાર્ટી મોકલી રહી છે, તો અનુભવને જોતાં મોટી જવાબદારી મળી શકે છે.