છોટાઉદેપુર શહેરના ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ આંબાલિયા સામે દુષ્કર્મની ફરિયાદ
છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ
મહેન્દ્રસિંહ આંબાલિયા સામે દુષ્કર્મની ફરીયાદ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ
છોટાઉદેપુરમાં શહેર ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ આંબાલિયા સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. લગ્નની લાલચ આપી મહેન્દ્રસિંહે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં માનસિક ત્રાસ પણ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું કહી ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આટલું જ નહીં યુવતીને ગર્ભ રહી જતા મહેન્દ્રસિંહ આંબાલિયાએ તેને પડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ બાળકનો જન્મ થતા તેને સ્વિકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આ અંગે હવે બાળક અને યુવતીના DNAની તપાસ કરવામાં આવશે.
વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સ્વિકારવાનો કર્યો ઈનકાર
યુવતીએ આરોપ લગાવતા જણાવ્યું છે કે થોડા વર્ષો પહેલા મહેન્દ્રસિંહ આંબાલિયાએ વારંવાર ફોન પર પ્રપોઝ કર્યુ હતું અને મેં હા પાડતા તેમણે મને લગ્નની લાલચ આપી તેમણે વારંવાર મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો જેના કારણે ગર્ભ રહી ગયો હતો. તેમણે ગર્ભને પડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. થોડા સમય બાદ તેમણે પોતાના જ સમાજની એક યુવતી સાથે લગ્ન કરી લીધા. ત્યાર બાદ ઝઘડો કરી હું તારી સાથે લગ્ન નથી કરવાનો, ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું, મને બદનામ કરવા આ બધુ કરે છે તેવું કહ્યું હતું. તે સમયે મે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. પાંચ વર્ષ પહેલા પણ આ યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
પરંતુ તે સમયે કોર્ટમાં સમાધાન કરીને કેસ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય બાદ એકબીજાને મરજીથી મળવા લાગ્યા અને તેમણે ફરી મારી સાથે શરીરિક સંબંધ બાંધ્યા. ગર્ભ રહી જતા મારી સાથે બોલવાનું બંધ કરી નાખ્યું. તેમણે ગર્ભ પડાવવા માટે પણ ધમકી આપી હતી. બાળકનો જન્મ થતા મને અને બાળકને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.