કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા ટૂંક સમયમાં રાજીનામું આપે તેવી શક્યતા છે. નવા મુખ્યમંત્રી તરીકે પ્રહ્લાદ જોશી અને એમઆર નિરાનીનુું નામ લેવાઈ રહ્યા છે. જોકે આ મામલે હજુ પાર્ટી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી
કર્ણાટકના CM યેદિયુરપ્પા રાજીનામું આપે તેવી શક્યતા
રાજીનામુ આપ્યા બાદ પણ ભાજપમાં સક્રિયી રહેશે
નવા મુખ્યમંત્રી રેસમાં બે મંત્રીઓના નામ
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા રાજીનામું આપશે તેવી ચર્ચાએ છેલ્લા ઘણા સમયથી જોર પકડ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે તેઓ આજેજ રાજીનામું આપી શકે છે. જોકે કર્ણાટકમાં નવા મુખ્યમંત્રી કોણ હશે તે મામલે હજું કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. જોકે યેદિયુરપ્પાએ એવા સંકેત આપી દીધા હતા કે તેઓ થોડાક સમય પૂરતાજ કર્ણાટકના મુખ્યમંત્રી રહેવાના છે.
I'm expecting suggestions from high command by evening, you'll (media) also come to know what it will be. High command will decide about it, I'm not concerned about it (on appointing Dalit CM): Karnataka CM BS Yediyurappa pic.twitter.com/dJ0xhQUPTo
યેદિયુરપ્પાની સરકારને આજે 2 વર્ષ પૂરા થયા છે. તેમના રાજીનામા બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી તેમજ ખનન મંત્રી એમઆર નિરાનીનું નામ સામે આવ્યા છે. કે જેમને મુખ્યમંત્રી બનાવામાં આવી શકે છે. જોકે આ મામલે તેમને અત્યાર સુધી કોઈ પણ જાણકારી નથી મળી તેવું તેમનું કહેવું છે.
પાર્ટી દ્વારા નવું નામ જાહેર નથી કરાયું
પ્રહલાદ જોશીનું કહેવું છે કે મુખ્યમંત્રી પદ માટે અત્યાર સુધી તેમની સાથે પાર્ટી દ્વારા કોઈ વાત કરવામાં નથી આવી, તેમનું કહેવું છે કે તેઓ એ વાતથી હેરાન છે કે યેદિયુરપ્પા રાજીનામું કેમ આપી રહ્યા છે. તો બીજી તરફ એમ આર નિરાની દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે પાર્ટી દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તે તેમને મંજૂર રહેશે.
પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા લેશે નિર્ણય
બે દિવસ પહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેમની સરકારને 2 વર્ષ પૂરા થતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બાદ ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા જે પણ નક્કી કરશે તેઓ તેનું પાલન કરશે. તેમણે કહ્યું આપ સૌ જાણો છો કે મે બે મહિના પહેલા રાજીનામાની વાત કરી હતી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે હુ સત્તામાં રહું કે ના રહું ભાજપને સત્તામાં લાવવી એ મારુ કર્તવ્ય છે.
પાર્ટી કહેશે ત્યારે રાજીનામું આપીશ : યેદિયુરપ્પા
ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાએ એવું કહ્યું કે અત્યાર સુધી તેમને રાજીનામુ આપવા માટે નથી કહેવામાં આવ્યું. પરંતુ જ્યારે તેમને કહેવામાં આવશે ત્યારે તેઓ રાજીનામુ આપી દેશે અને પાર્ટી માટે કામ કરશે.