હાથરસ કેસમાં હવે અત્યાર સુધી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે જ્યારે ફરિયાદ નોંધનારા SOએ મોટો ઘટસ્ફોટ કર્યો છે.
હાથરસ કેસમાં ચોંકાવનારો ખુલાસો
ફરિયાદ નોંધાનારા SO એ કર્યો ખુલાસો
પરિવારજનોએ FIR માં દુષ્કર્મનો ખુલાસો કર્યો નહોતો
દેશભરમાં ભારે હોબાળો મચાવી દેનાર હાથરસ ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. નવા ખુલાસામાં એવી વિગતો સામે આવી રહી છે કે સૌપ્રથમ ફરિયાદ નોંધાઈ ત્યારે એક જ આરોપીનું નામ હતું અને ફરિયાદમાં ગેંગરેપની પણ વાત ન હતી.
ફરિયાદ નોંધાઈ ત્યારે માત્ર એક જ આરોપીનું નામ હતું
ફરિયાદ નોંધનારા SO દિનેશ વર્માએ આ બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પહેલાં જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારે માત્ર એક જ આરોપીનું નામ હતું. પહેલી ફરિયાદમાં ક્યાંય ગેંગરેપ ની વાત ન હતી. 14 તારીખે થયેલી ફરિયાદમાં માત્ર આરોપી સંદીપનું નામ હતું.
પીડિતાના ભાઈ અને માતાએ પણ ફરિયાદમાં ગેંગરેપનો ઉલ્લેખ ન કર્યાનો દાવો
ફરિયાદમાં માત્ર સંદીપે જાનથી મારી નાંખવા ગળુ દબાવ્યું હતું તેની વાત હતી. પરંતુ તેમના દાવા અનુસાર ચાર આરોપીના નામ રાજનીતિના કારણે આવી ગયા. સૌથી વધુ ચોંકાવનારો દાવો તો એ હતો કે પીડિતાની સાથે તેના ભાઈ અને માએ પણ ફરિયાદમાં ગેંગરેપનો ઉલ્લેખ કર્યો ન હતો.
તેમણે કહ્યું હતું કે આ ગેંગરેપનો કેસ જ નથી, કોઈએ બળાત્કારની ફરિયાદ કરી ન હતી. રેપની વાત પાછળથી કરવામાં આવી, પહેલા માત્ર કલમ-307નો કેસ હતો. 14 તારીખે જે મેડિકલ રિપોર્ટ આવ્યો તેમાં રેપનો ઉલ્લેખ ન હતો. ફરી 22 તારીખે ઈન્ટર્નલ રિપોર્ટ થયો તેમાં પણ રેપની વાત ન હતી.
અંતિમ સંસ્કારના વિવાદ પર પણ મોટો ખુલાસો
અંતિમસંસ્કારના વિવાદ પર પણ દિનેશ શર્માએ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પરિવાર મૃતદેહને ઘરે રાખી CM યોગીને બોલાવવાનું વિચારી રહ્યાં હતાં. એટલે જ તેમની CM યોગીની બોલાવવાની માગને કારણે આખરે રાત્રે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.