પીએમ મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તેને લઈને મોટો ખુલાસો થયો છે. જેમા એડિજીપી દ્વારા પહેલાથી લેટર લખીને પંજાબ પોલીસને ખેડૂતોના પ્રદર્શન વીશે માહિતી આપવામાં આવી હતી.
PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈ મોટો ખુલાસો
એડિજીપીએ જે લેટર લખ્યો હતો તેમા થયો ખુલાસો
ખેડૂતોના પ્રદર્શન વીશે પંજાબ સરકારને હતી જાણ
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તે કોઈ શડયંત્ર હતું કે શું તેને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. જેથી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ બધા પંજાબના એડીજીપી દ્વારા એક ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમા મોટા ખુલાસાઓ થયા છે. એડિજીપીએ જે ચિઠ્ઠી લખી છે તેમા સરકારના બધા દાવાની પોલ ખુલી ગઈ છે.
પંજાબ સરકારને ખેડૂતોના પ્રદર્શનની જાણ પહેલાથી હતી
એડીજીપીએ જે ચિઠ્ઠી લખી છે તે પ્રમાણે પંજાબ સરકારને ખેડૂતોના પ્રદર્શન વિશે પહેલાથી જાણકારી હતી. એડીજીપી દ્વારા પંજાબ પોલીસને પત્ર લખવામાં આવ્યો હતો કે 5 તારીખે ખેડૂતો ધરણા આપવાના છે જેથી સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવે.
બધાજ દાવાઓ પોકળ સાબિત થયા
એડીજીપી દ્વારા લો એન્ડ ઓર્ડરની ચિઠ્ઠી લખવામાં આવી હતી તેના દ્વારા પંજાબ સરકારે કાલે જે પણ દાવાઓ કર્યા તેની પોલ ખુલી ગઈ છે. પંજાબના મુખ્યમંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી ફિરોજાપુરના રસ્તેથી નિકળશે તે વિશે તેમને કોઈ જાણકારી ન હતી. સાથેજ સીએમ ચન્નીએ એવો દાવો પણ કર્યો હતો કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચૂક નથી થઈ.
રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી
સમગ્ર મામલે પીએમ મોદીની સુરક્ષામાં જે ચૂંક થઈ તેને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને પીએમ મોદી પણ તેમને મળનવા માટે તેમના આવાસ સ્થાને પહોચ્યા હતા.
પંજાબ સરકારે ઉચ્ચ સ્તરિય કમિટી રચી
સુરક્ષામાં જે ચૂંક થઈ છે તેને લઈને વિવાદ હવે વધતો જઈ રહ્યો છે જેથી મામલો હવે સુપ્રિમ કોર્ટ પહોચ્યો છે. જે મામલે આવતી કાલે સુનાવણી થવાની શક્યતા છે. બીજી તરફ પંજાબ સરકાર દ્વારા પણ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય કમિટી રચવામાં આવી છે. સમિતિમાં રિટાયર્ડ જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા શામેલ છે. જેઓ 3 દિવસમાં તેમની રિપોર્ટ રજૂ કરવાના છે.
પંજાબના રાજ્યપાલને મળ્યા ભાજપના નેતાઓ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ભાજપના નેતાઓએ પંજાબના રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમની સુરક્ષામાં જે ચૂંક થઈ તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથેજ પંજાબ ભાજપના નેતાઓએ રાજ્યપાલને મળીને ગૃહમંત્રી અને ડીજીપીને બરખાસ્ત કરવામાં આવે તેવી માગ પણ કરી હતી.