રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી હિંસાના મામલે વધુ એક મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, જેમાં આરોપીઓનો આસય હતો કે, ખંભાતમાં ભવિષ્યમાં રથયાત્રા ન નીકળે
ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો
પોલીસ તપાસમાં અથડામણ મામલે ચોંકાવનારા ખુલાસા
પથ્થરમારો અને હુમલો એ પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું ખુલ્યુ
રથ યાત્રા ભવિષ્યમાં ન નીકળે તેવો હતો આરોપીઓનો આસય
પોલીસ તપાસમાં અથડામણ મામલે ચોંકાવનારા ખુલાસા
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર ભારે જૂથ અથડામણ થઈ હતી. જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.ત્યારે પોલીસ તપાસમાં અથડામણ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, ખંભાતમાં ભવિષ્યમાં રથયાત્રા ન નીકળે તેવો આરોપીઓનો આસય હતો.
જૂથ અથડામણ બાદ પોલીસે 9થી વધુ શખ્સોની કરી હતી અટકાયત
ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવો એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું જેમાં મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા. પોલીસે અત્યાર સુધી જૂથ અથડામણ મામલે 9 થી વધુ શખ્સોની અટકાયત કરી છે.
પથ્થરમારો અને હુમલો એ પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું ખુલ્યુ
તપાસમાં થયેલા ખુલાસા અનુસાર જે દિવસ સરઘસને મંજૂરી મળી હતી ત્યારથી જ આ શખ્સો તમામ પ્લાનિંગ બનાવીને બેઠા હતા અને ખંભાત બહારથી લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. રવિવારે શોભાયાત્રા હતી જ્યારે આ તત્વો શનિવારે જ રાતે એકત્રિત થઈ ગયા હતા અને પથ્થરો સહિતની વસ્તુઓ ભેગી કરીને રાખી હતી.
ઘટના અગાઉ અલગ અલગ જગ્યાએ થઈ હતી મિટિંગ
પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના અગાઉ અલગ અલગ જગ્યાએ મિટિંગ થઈ હતી. જેમાં અલગ અલગ લોકોને પૈસા-હથિયાર માટે જવાબદારી સોંપાઈ હતી. મહત્વનું છે કે, હુમલા પહેલા પરિવારના લોકોને બહાર મોકલી દેવાયા હતાં. હિંસામાં ફન્ડિંગ મામલે અલદિન મદિન સંસ્થાએ જવાબદારી લીધી હતી. જમશેદ નામના શખ્સ દ્વારા બહાર થી માણસો બોલાવાયા હતાં. હાલ પોલીસે આરોપી જમશેદ પકડમાં છે. આ તપાસમાં પોલીસે 57 આરોપીઓની નામ જોગ ઓળખ થઈ છે. પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ખંભાતમાં ચુસ્ત બંદોબસ્ત સહિત સતત શાંતિ સમિતિની મિટિંગો કરાઈ રહી છે. તેમજ જિલ્લા સ્તરેથી તાપસ ચાલી રહી છે
પોલીસે હાઈસ્કૂલના શિક્ષકની સંડોવણીની આશંકા સેવી
આ પહેલા ખંભાતમાં હિંસાનો મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવમાં ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકની સંડોવણીની આશંકા હોવાનું સામે આવ્યું છે.
ખંભાતમાં તોફાનો મામલે શું થયા ખુલાસો?
- પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બેસીને રચાયું ષડયંત્ર
- 3 મૌલવી અને 2 શખ્સ પહેલાથી જ કાવતરું ઘડી ચૂક્યા હતા
- મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન કાવતરાના મુખ્ય પાત્રો
- રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા
- લોકોને પથ્થરમારો અને આગચંપી માટે ઉશ્કેરવાનો આરોપ
- શોભાયાત્રા સમયે જ પથ્થરમારો કરીને ભડકાવવાનું કાવતરું
- ખંભાતમાં પથ્થરમારામાં એક વ્યક્તિનું થયું હતું મૃત્યુ
- સરઘસની મંજૂરી મળી તે દિવસે જ કાવતરુ ઘડાયું
- આતંકી કૃત્યને અંજામ આપવા ખંભાત બહારથી લોકોને બોલાવાયા હતા
- રવિવારે શોભાયાત્રા હોવાથી શનિવારની રાતે બધા ભેગા થયા હતા
- પથ્થરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ એકત્રિત કરાઇ હતી
- સુયોજિત આયોજન મુજબ પહેલા પથ્થરમારો અને પછી આગચંપી
- ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકની સંડોવણીની આશંકા
- પોલીસે માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકને રાઉન્ડપ કર્યો
- તોફાન પહેલા મૌલવીઓ સાથે બેઠક યોજી હોવાની શક્યતા
- પોલીસે સ્કૂલ ના સીસીટીવી નું ડીવીઆર પણ કર્યું જપ્ત..
- પથ્થરમારો અને હુમલો એ પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું ખુલ્યુ
- રથયાત્રા ભવિષ્યમાં ન નીકળે તેવો હતો આરોપીઓનો આસય
- ઘટના અગાઉ અલગ અલગ જગ્યાએ થઈ હતી મિટિંગ
- પૈસા-હથિયાર માટે અલગ અલગ જવાબદારી સોંપાઈ હતી
- હુમલા પહેલા પરિવારના લોકોને બહાર મોકલી દેવાયા હતા
- ફન્ડિંગ મામલે અલદિન મદિન સંસ્થાએ જવાબદારી લીધી હતી
- જમશેદ નામના શખ્સ દ્વારા બહાર થી માણસો બોલાવાયા હતા
- 57 આરોપીઓની નામ જોગ ઓળખ થઈ છે
- 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે
- જિલ્લા સ્તરે થી તાપસ ચાલી રહી છે