ભાજપની આટલી મોટી જીત પાછળનું સૌથી મોટું કારણ; સાયલન્ટ વૉટર્સ જે ચર્ચાઓમા બહુ બોલ્યા નહીં પણ ભાજપને જ મત આપીને આવ્યા, કોંગ્રેસ, AAP ગાજ્યું બહુ પણ જનતાના દિલ સુધી પહોંચ્યું નહી
ભાજપની આટલી મોટી જીત પાછળનું મોટું કારણ
કોંગ્રેસ, AAP ગાજ્યું બહુ પણ જનતાના દિલ સુધી પહોંચ્યું નહી
જોરશોરથી દેખાતી નારાજગી સામે સાયલન્ટ વૉટર્સે કર્યો કમાલ
ગુજરાતમાં ટ્રેન્ડમાં ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. એગ્ઝીટ પોલના આંકડાઓ મુજબ ભાજપ જોરદાર રીત જીતે છે. કેટલીક બેઠકોના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપનો વિજય થયો છે તેમજ 150 બેઠકો પર ભાજપ આગળ છે. તેમજ 22 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 6 બેઠકો પર આગળ ચાલી રહી છે તેમજ અન્ય 4 બેઠકો પર સોરો પર્ફોમર્શન કરી રહી છે. આ જોતી લાગી રહ્યું છે કોંગ્રેસ અને AAP ગાજ્યાં બહુ પણ જનતાની નસ પકડી શક્યા નથી અને જેના કારણે મત મેળવવામાં નિષ્ળફ સાબિત થયો હોય તેવું આજના આંકડા બતાવી રહ્યાં છે.
કોંગ્રેસ, AAP ગાજ્યું બહુ પણ જનતાના દિલ સુધી પહોંચ્યું નહી
ચૂંટણીના બ્યૂગલ ફૂકાયા ત્યારથી લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક મોટા મોટા વાયદાઓ અને ગેરન્ટીઓ આપી પરંતુ જનતાના મત પાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે અને તેમના હાલ ગાજ્યા બહુ પણ વરસ્યો નહી જેવી કહેવત જેવા થયા છે. કોંગ્રેસ અને AAP જનતાની નસ પકડી ન શક્યા તેવું લાગી રહ્યું છે.
ભાજપ સામે નારાજગીનો મુદ્દો ખૂબ ઉછળ્યો
વિપક્ષો અવાર-નવાર ચૂંટણી દરમિયાન ભાજપ પર નારજગીના મુદ્દો ઉછાળતા જોવા મળ્યા હતા પરંતુ વર્તમાનમાં પરિણામના આંકડા જોતા જાણવા મળે છે કે, તે જરા પણ અસર કર્યું નહી. તેમજ ચૂંટણીમાં જોરશોરથી દેખાતી નારાજગી સામે સાયલન્ટ વૉટર્સે કમાલ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જે પરથી લાગી રહ્યું છે સાયલન્ટ વૉટર્સ જે ચર્ચાઓમા બહુ બોલ્યા નહીં પણ ભાજપને જ મત આપીને આવ્યા. ભાજપમાંથી અમુક પક્ષ પલટો કર્યો કે પછી અપક્ષ ચૂંટણી લડ્યા પરંતુ અમુક બેઠક છોડતા તે ફાવ્યા નહી તેવું અત્યારના પરિણામ ચિત્ર પરથી કહીં શકાય છે.
આપ અને કોંગ્રેસના દાવોઓ ફક્ત દાવો જ રહ્યાં
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર બનાવવાની વાત તેમજ કોંગ્રેસ દ્વારા 125થી વધુ બેઠકો જીતવાનો દાવો ફક્ત દાવો જ રહી ગયા હોય તેમ લાગી રહ્યાં છે તેમજ જ્યારે એગ્ઝીટ પોલના આંકડા સામે આવ્યા ત્યારે પણ તેઓ તેને ખોટા બતાવી રહ્યાં હતા અને તેમને 125 બેઠક મળે છે તેવું દાવો કરતા હતા પરંતુ ચૂંટણી પરિણામો જોત લાગી રહ્યું છે દોવા જરા પણ અંશે સાબિત થયા નથી. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં જે મહોલ ઉભો કર્યો અને વિપક્ષ અને સરકાર પર આક્ષેપ કર્યો હતાં તેમજ તેઓ પણ જણાવી રહ્યાં હતા કે, આ વખતે ગુજરાતમાં એક મોકો કેજરીવાલને જનતા આપવાની છે પરંતુ આવુ જરા પણ અંશે લાગી રહ્યું નથી. તેમને જણાવી દઈએ કે, કેજરીવાલની લેખિત ભવિષ્યવાણી પણ ખોટી સાબિત થઈ છે.