વીજ મંત્રાલયે ક્ષેત્રને આર્થિરૂપથી વ્યવહારિક બનાવવા માટે શનિવારે કેટલાક નવા નિયમોની ઘોષણા કરી છે. આ નિયમોનો ઇરાદો વીજળી ક્ષેત્રે નાણાકીય દબાવને ઓછો કરવાનો છે.
વીજ નિયમોમાં થયા મોટા ફેરફાર
સ્વચ્છ ઉર્જા આપવા માટેનો પ્રયાસ
રિન્યુએબલ એનર્જીના લક્ષ્યને હાંસલ કરવો જરૂરી
મંત્રાલયે પાવર સેક્ટરમાં ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. એમ એક નિવેદનમાં જણાવાયું છે. જેના દ્વારા, ભારત આબોહવા પરિવર્તન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પણ પૂર્ણ કરી શકશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાવર ક્ષેત્રના રોકાણકારો અને અન્ય હિસ્સેદારો કાયદામાં ફેરફાર, નવીનીકરણીય એનર્જીમાં ઘટાડો અને અન્ય સંબંધિત મુદ્દાઓને કારણે ખર્ચમાં વધારાને લઈને ચિંતિત છે.
વીજ મંત્રાલય દ્વારા વીજળી અધિનિયમ, 2003 હેઠળ સૂચિત નિયમો છે તે ગ્રાહકો અને અન્ય હિસ્સેદારોના હિતમાં છે. આ નિયમોમાં વીજળી નિયમો, 2021નો સમાવેશ થાય છે. બીજો કાયદો વીજળી સાથે સંબંધિત છે .
મંત્રાલયે કહ્યું કે, કાયદામાં ફેરફારને કારણે, ખર્ચની વહેલી વસૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વીજ ક્ષેત્ર માટે સમયસર ચુકવણી જરૂરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં ઉર્જા બદલાઈ રહી છે. ભારતે આ ક્ષેત્રમાં પરિવર્તનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. ભારતે 2022 સુધીમાં 175 GW અને 2030 સુધીમાં 450 GW ની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબદ્ધ છે.
મંત્રાલયે કહ્યું કે આ નિયમો દેશને રિન્યુએબલ એનર્જીના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. આ સાથે ગ્રાહકોને ગ્રીન અને ક્લીન એનર્જી ઉપલબ્ધ થશે. આ અંતર્ગત વીજ ઉત્પાદનનું નિયમન અથવા પુરવઠામાં કાપ એવા પાવર પ્લાન્ટ્સને લાગુ પડશે નહીં જેમનું સંચાલન ફરજિયાત છે.