હાલ તો કોલેજ કેમ્પસમાં જ રેગિંગની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે તો શાળાઓમાં પણ રેગિંગની ઘટના સામે આવી છે. જે ખૂબ ચિંતાજનક છે.
અમરેલી જવાહર નવોદય વિદ્યાલયમાં રેગિંગનો મામલો
જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલનું નિવેદન
માર મારનાર વિદ્યાર્થીઓને હાલ સસ્પેન્ડ કરાયા
અમરેલીના જવાહર નવોદય વિદ્યાલયમાં રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં ધો 9ના વિદ્યાર્થીને ધો. 11 માં બે સિનિયર વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે પાંચ દિવસ સુધી બે વિદ્યાર્થીઓએ કપડા ધોવડાવ્યા હોવાનો આરોપ છે. ધો. 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્કૂલમાંથી નાસી જઈ માતા-પિતાને જ્યારે જાણ કરી હતી. વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
ધોરણ 11 ના વિદ્યાર્થીએ ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો
અમરેલીના જવાહર નવોદય વિદ્યાલયમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી રેગિંગની એક ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 11 માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીએ થોડા દિવસ પહેલા જુનિયર વિદ્યાર્થી સાથે પથારી પર કચરો નાખવાના મુદે બોલાચાલી કરી હતી. એટલુ જ નહી બળજબરીથી ધોરણ 11 ના આ વિદ્યાર્થીઓ પાંચ દિવસથી જુનિયર વિદ્યાર્થી પાસેથી પોતાના કપડા પણ ધોવડાવતા હતા. ચાર દિવસ પહેલા બે વિદ્યાર્થીઓએ બેલ્ટથી તેને માર્યો હતો. ત્યારે ઘાયલ વિદ્યાર્થી સ્કૂલમાંથી નાસી ગયો હતો.બાદમાં ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ આ વિશેની માતા-પિતાના જાણ કરતા આખરે આ મામલો સામે આવ્યો છે.
જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલનું નિવેદન
આ અંગે પ્રિન્સીપાલ વિજયકુમાર જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની મને જાણ થતાં માર મારનાર વિદ્યાર્થીઓને તુરંત જ સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે વાલીઓ સાથે ચર્ચા કર્યા બાદ બેઠકમાં બંને વિદ્યાર્થીઓ ધો-11માં અભ્યાસ કરે છે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.