કચ્છમાં ગણપતિ દાદાનું ગાજતે વાજતે વિસર્જન કરવામાં આવ્યુ છે. જિલ્લાની સૌથી મોટી 21 ઇંચની ગણેશજીની મૂર્તિનું માંડવીના મધ દરિયે વિસર્જન કરવામાં આવ્યુ હતું. તપારામાં 10 દિવસ સુધી પૂજા-અર્ચના કર્યા બાદ આજે વિસર્જન કર્યું હતું. અશ્રુભીની આંખે લોકોએ વિઘ્નહર્તાને વિદાય આપી હતી.