દિલ્હીની એક અદાલતમાં ફિલ્મ આદિપુરુષ'ના રિલીઝ પર રોક લગાવવાની માંગ માટે એક કોર્ટમાં એક અરજી ફાઇલ કરવામાં આવી છે. આ સાથે જ ઉતર પ્રદેશમાં પણ એક શિકાયત દર્જ કરવામાં આવી છે.
'આદિપુરુષ'ના રિલીઝ પર રોક લગાવવાની માંગ માટે કોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવી
હનુમાન અને રામને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા
ફિલ્મના અભિનેતા અને નિર્માતાઓ સામે કાર્યવાહી થશે
પ્રભાસની આવનારી ફિલ્મ 'આદિપુરુષ' પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ લોકો ફિલ્મના ટીઝર અને VFXને લઈને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મમાં સૈફ અલી ખાનના લુક પર ઘણા લોકો આપત્તિ ઉઠાવી રહ્યા હતા. એવામાં હવે સર્વ બ્રાહ્મણ મહાસભાએ ગુરુવારે ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતને નોટિસ મોકલીને 7 દિવસની અંદર ફિલ્મમાંથી અમુક સીન હટાવવાની અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. આ સાથે જ ધમકી આપી છે કે જો માફી ન માંગી તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય દિલ્હીની એક અદાલતમાં ફિલ્મ આદિપુરુષ'ના રિલીઝ પર રોક લગાવવાની માંગ માટે એક કોર્ટમાં એક અરજી ફાઇલ કરવામાં આવી છે. જેમાં ભગવાન રામ અને હનુમાનને ખોટી રીતે દર્શાવવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ ઉતર પ્રદેશમાં સૈફ અલી ખાન,,પ્રભાસ અને કૃતિ સેનન સામે પણ શિકાયત દર્જ કરવામાં આવી છે. લખનઉના એક વકીલે ફિલ્મના અભિનેતા અને નિર્માતાઓ સામે કાર્યવાહી કરવા માટે કોર્ટમાં અરજી ફાઇલ કરી છે. વકીલ પ્રમોદ પાંડેનું કહેવું છે કે ફિલ્મમાં હિંદુ દેવી-દેવતાઓ અને ખાસ કરીને હનુમાન અને રામને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.
કયો હિંદુ મૂછો વીના દાઢી રાખે છે?
આ સાથે જ સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્ર તરફથી મોકલવામાં આવેલ નોટિસમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, 'કયો હિંદુ મૂછ વિના દાઢી રાખે છે, આ ફિલ્મમાં ભગવાન હનુમાનને આવા લુકમાં દેખાડવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં એવું લાગે છે રામાયણ, ભગવાન રામ, મા સીતા અને હનુમાનનું સંપૂર્ણપણે ઇસ્લામીકરણ કરવામાં આવ્યું છે. શિવ ભક્ત રાવણનો રોલ કરનાર સૈફ અલી ખાન ખિલજી જેવા દેખાય છે. આ ફિલ્મ દેશના લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે.'