શિવાંશના નાનાનો પોતાની મૃતક પુત્રી હીનાની માસી પર સનસનીખેજ આરોપ. હીનાની માસીની પણ થવી જોઈએ પોલીસ પૂછ પરછ. તેણીએ મારું પણ ઘર ભંગાવ્યુ છે. આરોપીને ફાંસી આપવા માગ
મારા પરિવારની બરબાદીનું મૂળ હીનાની માસી-પિતા
મારું ઘર પણ હીનાની માસીએ જ ભંગાવ્યું છે.મૃતકના પિતા
આરોપીઓને ફાંસીની થવી જોઈએ સજા-પિતાની માંગ
હર્દયના તાર ઝણઝણાવી મૂકનારી ગાંધીનગરના શિવાંશ કેસની કડીઓ એક પછી એક ખુલતી જાય છે. 10 મહિનાના માસૂમ બાળકને પેથાપુરની ગૌશાળામાં તરછોડવા આવેલા પિતા,બાળકની માતાનો હત્યારો નીકળ્યો અને આ હિચકારી ઘટના પછી શિવાંશની માતા મહેંદી ઉર્ફ હીનાનાં પિતાનું પણ ચોંકાવનારુ નિવેદન આવ્યું છે કે, હીના છેલ્લા ચાર વર્ષથી અમારા સમ્પર્કમાં નહોતી,અને તેની માસીએ જ મારું પણ ઘર ભાંગ્યું છે. હીનાની માસીની પણ તપાસ થવી જોઈએ.
મૃતક હિનાના પિતાનો સણસણતો આરોપ
ગાંધીનગરમાં પેથાપુરની ગૌશાળામાં મળી આવેલા બાળકની માતાના પરિવારમાં પણ કેવો આંતર કલહ હતો તેની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ખુદ હિનાના પિતાએ ચોંકાવનારો ખુલાસો કરી હીનાની માસીને પારિવારિક ભાંગ-ફૂટની જવાબદાર ગણાવી છે. મૃતક હીનાની માસીએ જ પોતાનું પણ ઘર બરબાદ કર્યાનો આરોપ લગાવતા કયું કે,એની માસીએ જ મારૂ ઘર તોડાવ્યું હતું અને 4 વર્ષથી દીકરી હિના સાથે અમારો સંપર્ક પણ નથી. વધુમાં જણાવતા કહ્યું કે, હિનાની નાની અને તેની માસી કાયદેસર લખાણ કરીને હીનાનો કબજો લઇ ગયા હતા. આ સમગ્ર પ્રકરણમાં માસીની પણ પોલીસે તપાસ કરવી જોઇએ. મારી પુત્રીની જીંદગી બરબાદ કરવામાં તેની માસીનો પણ ફાળો છેતેમ કહીને ઉમેર્યું કે, આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ.
હીનાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયો
શિવાંશની માતા અને સચિન દીક્ષિતની પ્રેમિકા મહેંદી ઉર્ફ હીનાના મૃતદેહને વડોદરા પોલીસે સયાજી હોસ્પીટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે. આજે બપોરના સુમારે સચિનને લઈને પોલીસ આ ફ્લેટ પર આવી પહોચી હતી.સાથ ફોરેન્સિક ટીમ પણ અહીં પહોચી હતી. શિવાંશ નામના બાળકને તરછોડી જનાર પિતા સચિન દીક્ષિતે જ પોતાની પ્રેમિકા મહેંદી ઉર્ફ હીનાની હત્યા કર્યાનો ખુલાસો થઇ ગયા બાદ,પોલીસ તેને વડોદરાના એ ફ્લેટમાં લઇ ગઈ છે જ્યાં હીનાની હત્યા કરવામાં આવી છે અને આ ફ્લેટના રસોડામાં સચિને લાશને બેગમાં પેક કરીને રાખી હતી.વડોદરાના DCP લખધીર સિંહ ઝાલાએ કહ્યું કે,આરોપી સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ગાંધીનગર પોલીસની કાર્યવાહી પૂર્ણ થતા જ સચિન સામે ફરિયાદનો તખ્તો તૈયાર કરવામાં આવશે.
શિવાંશનું શું થશે ?
ગાંધીંગરના પેથાપુરની ગૌશામાં તરછોડાયેલા શિવાંશને આવતીકાલે અમદાવાદ લાવવામાં આવશે.બાળક શિવાંશને આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.કેટલાક મેડીકલ ટેસ્ટ બાકી હોવાના કારણે બાળકને હોસ્પીટલમાં જ રખાશે. નિરાધાર બનેલા શિવાંશનો ઉછેર હવે ઓઢવ શિશુગૃહમાં કરાશે